SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયગિરિ–ખંડગિરિ બંને બાજુ પણ કોટડીઓ છે. એની ઉપરના માળે ગુફાઓની બીજી હાર છે. આમ બે માળવાળી ગુફાઓ આટલી મોટી સંખ્યામાં ભારતમાં બીજે ક્યાંય નથી. દૂરથી જાણે એક માળવાળી ચાલી હોય એવું દૃશ્ય લાગે. આવી લાક્ષણિક રચનાને કારણે એક વખત આ ગુફાઓ નજરે જોઈ હોય તો એનું દૃશ્ય યાદ રહી જાય તેવું છે. આખા ડુંગર ઉપર બીજી છૂટીછવાઈ પચાસથી અધિક આવી કોટડી–ગુફા છે. શ્રમણ અને શ્રમણીની ગુફાઓ જુદા જુદા વિસ્તારમાં હશે. પ્રત્યેક ગુફામાં એક એક એવી રીતે ત્યારે શ્રમણો અને શ્રમણીઓ મુકામ કરતા હશે અને સાધના કરતા હશે. ક્યારેક એક ગુફામાં ત્રણ ચાર શ્રમણો પણ રહેતા હશે. એ પરથી જણાય છે કે વિહાર કરીને અહીં મોટી સંખ્યામાં શ્રમણ-શ્રમણી પધારતાં હશે ! મહારાજા ખારવેલે આ ગુફાઓ કોતરાવવામાં અઢળક ધનનો ખર્ચ કર્યો હશે ! વળી એમાં સમય પણ ઠીક ઠીક લાગ્યો હશે. જૈન શ્રમણો માટેનું ગુફા-નિવાસ આટલા વિશાળ પ્રમાણ અન્યત્ર ક્યાંય નથી. રાણીગુફાની આ હારબંધ નાની ગુફાઓ પાસેથી આપણે પસાર થઇએ તો આ નાની ઓરડીઓમાં અંદર એક બાજુ ઓટલા જેવું દેખાય. તે મુનિ મહારાજ માટે આસન તથા રાતના સંથારા માટેની રચના છે. બહારથી અંદરનું બધું જોઈ શકાય છે, એટલે પગથિયાં ચડી અંદર જવાનો શ્રમ લેવાનું મન ન થાય. પણ ભોમિયો અમને અંદર લઈ ગયો. એક ઊંચી બેઠક પર બેસીએ તો માથું વાંકું વાળવું પડે, પણ ભોમિયાએ અમને છતમાં ખાડો બતાવ્યો. ત્યાં બેસીને ધ્યાન ધરવું હોય તો માથું એ ખાડામાં એવી રીતે ઊંચું રહે કે બેસવાની તકલીફ પડે નહિ. એવી રીતે છતમાં માત્ર મસ્તક રાખવાનો આશય એ કે મુનિ ધ્યાનમાં બેઠા હોય તો ગુફા ખુલ્લી હોવા છતાં તેમને બહારનું કશું દેખાય નહિ અને બહારના લોકોને મુનિનું શરીર દેખાય પણ મસ્તક દેખાય નહિ. આથી ધ્યાનમાં વિક્ષેપ પડે નહિ. કેટલીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy