SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ संसग्गि असाहु राइहिं । ૧૫૯ સાધુપણાનું ઔચિત્ય જાળવવું જોઇએ. એક મુનિ મહારાજને એક રાજદ્વારી નેતા સાથે સારો સંબંધ થઈ ગયો હતો. એ રાજપુરુષ પોતાની કંઈ સમસ્યા હોય તો મુનિ મહારાજને મળવા આવે, એમની પાસે વાસક્ષેપ નખાવે. ચૂંટણી પ્રસંગે જ્યારે પોતે ઊભા રહ્યા હોય ત્યારે મહારાજશ્રી પાસે વાસક્ષેપ નંખાવા અવશ્ય આવે. એક વખત તો વ્યાખ્યાન ચાલુ હતું અને એ નેતા આવી પહોંચ્યા. તેઓ ઉતાવળમાં હતા. મહારાજશ્રીએ તરત વ્યાખ્યાન માંગલિક કર્યું અને ઉપર જઈ એ નેતા સાથે વાટાઘાટ કરવા બેસી ગયા. વસ્તુતઃ રાજદ્વારી નેતાઓ સાથેનો સંબંધ પણ એવો હોવો જોઇએ કે જેથી પોતાનાં આવશ્યક કર્તવ્યો ચૂકી ન જવાય. બીજી બાજુ કેટલાક નેતાઓ પણ જબરા હોય છે. જેને સમાજની અને કેટલાક સાધુઓની નબળાઈ તેઓ સમજતા હોય છે. એક વખત એક દેરાસરના પટાંગણમાં કોઈક આચાર્ય મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે એક મુનિ મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. શ્રોતાઓની ઘણી મોટી સંખ્યા હતી, કારણ કે કાર્યક્રમ પછી સ્વામિવાત્સલ્ય હતું. કાર્યક્રમ શરૂ થયાને થોડીવાર થઈ હશે. ત્યાં તો પોલીસની સાઇરન કાર સાથે બીજી ગાડીઓ આવી પહોંચી. એક ગાડીમાંથી મિનિસ્ટર ઊતર્યા. એમની આસપાસ બીજા માણસો દોડાદોડી કરવા લાગ્યા. કાર્યક્રમના આયોજકો અચંબામાં પડી ગયા. મિનસ્ટર સીધા મંચ પર આવ્યા. તેમને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. મિનિસ્ટરે આયોજકોને બોલાવ્યા અને ખાનગીમાં ખખડાવ્યા, “આવો મોટો કાર્યક્રમ કરો છો અને મને કાર્ડ પણ મોકલતા નથી ? શું સમજો છો તમારા મનમાં ? જૈન સમાજના કેટલાં કામ હું કરી આપું છું એ ખબર છે ને !' આયોજકો બિચારા માફી માગવા લાગ્યા. પછી મિનિસ્ટરે કહ્યું, આ કોણ બહેન ગાય છે ? એને કહો કે જલદી પૂરું કરે. મારે મોડું થાય છે.” તરત ગીત ટૂંકું થઈ ગયું. પછી મિનિસ્ટર બોલવા ઊભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy