SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયગિરિ–ખંડગિરિ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે એ શોધી કાઢ્યું હતું. ઇ.સ. ૧૮૩૫માં બીજા એક અંગ્રેજ સંશોધકે બ્રાહ્મી લિપિનો અભ્યાસ કરી આ લેખ થોડોક વાંચ્યો હતો. ઇ.સ.૧૮૮૫માં વિયેનામાં પ્રાચ્યવિદ્યા વિશેના એક સંમેલનમાં ડો. ભગવાનલાલ ઇન્દ્રજીએ ઉદયગિરિ–ખંડગિરિ વિશેના પોતાના લેખમાં કલિંગ ચક્રવર્તિ મહારાજા ખારવેલનો ઉલ્લેખ કર્યો ત્યારે ખારવેલનું નામ સૌ પ્રથમ પ્રસિદ્ધિમાં આવ્યું. પરંતુ વિસ્તૃત શિલાલેખના લખાણ વિશે ખાસ માહિતી નહોતી. આખો શિલાલેખ બરાબર વાંચીને એનો વિસ્તૃત અર્થ પહેલી વાર બંગાળના પંડિત રાખાલદાસ બેનર્જી અને પટનાના કાશીપ્રસાદ જાયસ્વાલે પ્રકાશિત કર્યો હતો. બ્રાહ્મી લિપિમાં લખાયેલો આ શિલાલેખ વાંચવામાં અને એને અંગેનું સંશોધન કરવામાં પંડિત કાશીપ્રસાદ જાયસ્વાલનો ઘણો મોટો ફાળો છે. લેખ બહુ મોટો છે, અક્ષરો બ્રાહ્મી લિપિમાં છે, કેટલેક સ્થળે શબ્દો ઘસાઈ ગયા છે એટલે પહેલા જ વાંચને સંપૂર્ણ અર્થ બેસે એવું બને નહિ. શ્રી જયસ્વાલે પહેલાં નીચે ઊભા ઊભા ઉપરના અક્ષરો વાંચ્યા હતા. બીજી વખત તેઓ ત્યાં ગયા ત્યારે પાલખ બંધાવી અને એના ઉપર બેસીને નજીકથી ઘણાખરા શબ્દો ઉકેલ્યા હતા. કેટલાક શબ્દો ભૂંસાઈ ગયા છે. ત્યાર પછી પ્લાસ્ટરમાં એનું બીબું તૈયાર કરાવીને તે વાંચ્યું. એમ કરતાં કરતાં દસ વર્ષને અંતે આખા શિલાલેખનો ઘણોખરો પાઠ ઉકેલાઈ શકાયો છે. એમાં શ્રી રાખલદાસ બેનર્જીની એમને સારી મદદ મળી હતી. હાથી ગુફામાં પ્રવેશતાં પહેલાં જ ઊંચે જો વાથી બહારથી શિલાલેખ જોઈ શકાય છે, કંઈક વાંચી શકાય છે. ગુફાના પ્રવેશદ્વારની ઉપરના પથ્થરમાં આ મોટો શિલાલેખ કોતરવામાં આવ્યો છે. શિલાલેખના કદ પરથી પણ એની મહત્તા સમજી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy