SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ નિકંદન કાઢ્યું હતું. કલિંગમાં ચેદી વંશમાં એક યુવાન તેજસ્વી, પ્રતાપી, પરાક્રમી અને વિશેષતઃ ધર્માનુરાગી મહારાજા ખારવેલ ગાદીએ આવ્યા. તેઓ બળવાન હતા, યુદ્ધકલામાં કુશળ હતા, પ્રજાવત્સલ હતા અને પોતાના જૈન ધર્મ માટે તેઓ અપાર લાગણી ધરાવતા હતા. એમણે મગધના નંદરાજા પુષ્યમિત્ર ઉપર આક્રમણ કરીને એમની પાસેથી ૠષભદેવ ભગવાનની પ્રતિમા ‘કલિંગ-જિન' છોડાવી લાવ્યા હતા. ત્યારે મથુરા પણ જૈનોનું મોટું તીર્થ ગણાતું હતું. તે વખતે જ્યારે વિદેશી યવન રાજા ડિમિત (ડિમિટ્રિયસ) મથુરા ઉપર ચઢી આવ્યો ત્યારે મહારાજા ખારવેલે પોતાની સેના સાથે ત્યાં પહોંચી જઈ યવનોને મારી હઠાવ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ શિલાલેખમાં છે. સમગ્ર ભારતમાં જે જૂનામાં જૂના શિલાલેખો છે તેમાં સમ્રાટ અશોકના શિલાલેખો ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓના વર્ણન સાથે ખારવેલના જીવનની વિગતો વણી લેતો વિસ્તૃત શિલાલેખ તે મહારાજા ખારવેલનો છે. મહારાજા ખારવેલે સવાબે હજાર વર્ષ પહેલાં જે ગુફા ઉપર લેખ કોતરાવ્યો છે એ ગુફા ઉદયગિરિ ઉપર આવેલી છે. ગુફા ખાસ્સી પહોળી છે. એનું નામ ‘હાથી ગુફા' એવું પડી ગયું છે, કારણ કે એનો બાહ્ય દેખાવ હાથી જેવો છે. ગુફાના પથ્થરનો રંગ પણ હાથીના રંગ જેવો છે. આજથી લગભગ બસો વર્ષ પહેલાં આ શિલાલેખ વિશે વિદ્વાનો, પંડિતો, સાધુ ભગવંતો વગેરે કોઇને ખાસ કશી જાણકારી નહોતી. અંગ્રેજોએ સમગ્ર ભારતના નકશાઓ લશ્કરી સૃષ્ટિએ બનાવવાનું શરૂ કર્યું ત્યારે આ ગુફાઓ પ્રકાશમાં આવી. એનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે એમ ત્યારે જણાયું, પણ ત્યારે બ્રાહ્મી લિપિના જાણકારો નહોતા. ઓગણીસમા સૈકામાં બ્રાહ્મી લિપિ શીખવાનું ફરી શરૂ થયું ત્યારે ઇ. સ. ૧૮૨૦માં સ્ટર્લિંગ નામના એક અંગ્રેજ સ્કોલરે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy