SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ નામ રાખ્યું ‘મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર.' મહારાજશ્રીની ભાવના એને એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વિકસાવવાની હતી. પરંતુ એમનું એ સ્વપ્ન સાકાર થયું નહિ. " મહારાજશ્રીમાં વિચારશક્તિ, લેખનશક્તિ, કવિતાશક્તિ, શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ હતાં. એમણે ઉત્તરાધ્યયનસૂત્ર, દસવૈકાલિક સૂત્ર અને આચારાંગ સૂત્રનો સમર્થ અનુવાદ કર્યો છે. ‘અપૂર્વ અવસર'નું સુંદર વિવેચન કર્યું છે. ધર્મપ્રાણ લોંકાશાહ, જૈન દૃષ્ટિએ ગીતાદર્શન' વગેરે ગ્રંથો લખ્યાં છે. ચીંચણીમાં ૧૯૮૨ સુધીના આ સ્થિરવાસ દરમિયાન એમણે ‘વિશ્વવાત્સલ્ય’ સામયિક ચલાવવા ઉપરાંત, ‘તત્ત્વાર્થસૂત્ર'નું ગુજરાતી ભાષાન્તર, ‘વિશ્વવત્સલ મહાવીર' જેવું દીર્ઘકાવ્ય ઇત્યાદિનું લેખનકાર્ય કર્યું હતું. એમણે પચાસથી અધિક નાનામોટા ગ્રંથોની રચના કરી છે. આ કેન્દ્રમાં વિવિધ પ્રકારની વિચારગોષ્ઠીઓ થતી, પ્રવચનો થતાં, પ્રાર્થનાસભાઓ યોજાતી. સમગ્ર ભારતમાંથી નામાંકિત વ્યક્તિઓ મહારાજશ્રીને મળવા આવતી. મહારાજશ્રી રાજકારણમાં, કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં પણ રસ લેતા અને ‘વિશ્વવાત્સલ્ય'માં પોતાના વિચારો દર્શાવતા. પરંતુ કોંગ્રેસ જ્યારથી ગાંધીવાદી વિચારોથી દૂર જતી ગઈ ત્યારથી કોંગ્રેસ સાથેનો એમનો લગાવ ઓછો થતો ગયો. એમણે ‘ગ્રામકોંગ્રેસ’ નામની જુદી પ્રવૃત્તિ ચાલુ કરી હતી. ૧૯૭૧માં પહેલી વાર અમે ચીંચણી ગયા ત્યારનો અમારો અનુભવ લાક્ષણિક હતો. અમે બે ગાડીમાં પરિવારના દસેક સભ્યો મુંબઇથી ગયા હતા. મારા પિતાશ્રી પણ સાથે આવ્યા હતા. ઉનાળાના દિવસો હતા. રસ્તાઓ એવા ખરાબ કે સાતેક કલાકે ચીંચણી પહોંચાય. ત્યારે કેન્દ્રમાં મહારાજશ્રી અને મણિભાઈ બે જ જણ હતા. મીરાંબહેન બહારગામ કથામાં ગયા હતાં. બંગલાના હૉલમાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy