SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ બળદ પાછા મૂકી આવવા અને ખેતી તરફ વળવા સમજાવ્યું હતું. આ રીતે ગુનાહિત માનસવાળા નીચલા થરના લોકોને પણ મહારાજશ્રી પ્રેમથી સુધારતા હતા. મહારાજશ્રી સૂરતના રસ્તે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે વેડછીમાં જુગતરામભાઇને મળીને આગળ વધતાં વ્યારા, સોનગઢ વગેરે આદિવાસી ગામોમાંથી તેઓ પસાર થયા હતા ત્યારે આદિવાસીઓ એમનું સ્વાગત કરવા આવતા. જંગલમાં જંગલ મંડળ દ્વારા લાકડાં કાપનાર આદિવાસીઓનું મુખ્ય શસ્ત્ર તે કુહાડી. આ જંગલ વિસ્તારમાં જ્યારે જ્યારે મહારાજશ્રી પસાર થતા ત્યારે ઠેર ઠેર આદિવાસીઓ એમનું સ્વાગત કરવા રસ્તાની બેય બાજુ હારબંધ ઊભા રહી જતા. તે વખતે તેઓ પોતાની કુહાડીને ચકચકિત કરીને લાવતા અને સ્વાગત વખતે ખભા પાસે હાથ રાખી કુહાડી ઊંચી રાખતા. સેંકડો કુહાડીઓ સાથેનું આવા સ્વાગતનું દશ્ય વિરલ હતું. જીવનની ઉત્તરાવસ્થામાં રૂઢિચુસ્ત સમાજમાં મહારાજશ્રી માટે પહેલાં જેટલો વિરોધ હતો તેટલો રહ્યો નહોતો. એમના કાર્યથી સમાજ પ્રભાવિત થયો હતો. પછી કેટલાંયે નગરોમાં સંઘ મહારાજશ્રીને પોતાના ઉપાશ્રયમાં પધારવા અને વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા લાગ્યા હતા. મહારાજશ્રી વિશ્વ વાત્સલ્યમાં વખતોવખત વિનોબાજી માટે આદરભાવપૂર્વક લખતા અને એમની પ્રવૃત્તિઓની ભારે અનુમોદના કરતા. વિનોબાજીએ ભૂદાનની જે ઝુંબેશ ઉપાડી હતી તેમાં ગુજરાતમાં સંતબાલજીએ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સમગ્ર ગુજરાતનો જમીનનો લક્ષ્યાંક પૂરો નહોતો થતો તો મહારાજશ્રીએ એ માટે ઉપવાસની જાહેરાત કરી અને ઉપવાસ શરૂ થાય તે પહેલાં લક્ષ્યાંક પૂરો થઈ ગયો હતો. વિનોબાજીએ ૧૯૭૯માં ગોવધબંધી લાવવા Jain Education International For Private & Personal Use Only • ઇ. www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy