SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પ્રવચન આપી રહ્યા હતા. એવામાં બાંકડાનો માલિક ત્યાં આવી પહોંચ્યો. એણે મહારાજશ્રીને પોતાના બાંકડા પરથી ઊઠી જવા કહ્યું તો જરા પણ આનાકાની વગર મહારાજશ્રી ઊઠી ગયા અને બાકીનું ભાષણ ઊભા ઊભા પૂરું કર્યું હતું. એક વખત મહારાજશ્રી ભાલપ્રદેશમાં કોઠ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. રોજ વ્યાખ્યાન તથા રાતની પ્રાર્થનાસભામાં જૈનો કરતાં અજૈન વધુ આવતા. તે બધા ઉપર મહારાજશ્રીનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. કેટલાક તો મહારાજશ્રીને દેવપુરુષ ગણતા. પ્રાર્થનાસભામાં અમુક દિવસે મહારાજશ્રી વાર્તા કહેતા. એટલે એમના વ્યાખ્યાનમાં બાળકો પણ આવતા. ચાતુર્માસના દિવસોમાં છેલ્લે દિવાળી, બેસતું વર્ષ અને કાર્તિકી પૂર્ણિમા પણ આવે. જ્યારે બેસતું નવું વર્ષ હતું ત્યારે એક માજી સવારે પાંચેક વાગે ઘરેથી આરતી સળગાવીને મહારાજશ્રીના ઉતા પાસે આવ્યાં. માજીએ બૂમ પાડી, “મહારાજશ્રી બહાર આવો. આજે સપરમો દિવસ છે. અમારે તમારી આરતી ઉતારવી છે.' મહારાજશ્રી બહાર ન આવ્યા, પણ ઉચ્ચ સ્વરે એમને આગ્રહપૂર્વક સમજાવ્યું કે “માજી ! જૈન સાધુની આરતી ન ઉતારાય. માણસની આરતી ન ઉતારાય. મંદિરમાં ભગવાનની આરતી ઉતારાય.” મહારાજશ્રી રાત પડી ગયા પછી બહેનોને મળતા નહિ અને મુહપત્તિ ઉતાર્યા પછી બોલતા નહિ. માજી છેવટે માની ગયાં. એમને મહારાજશ્રીમાં શ્રદ્ધા એટલા માટે થઈ ગયેલી કેમ કે તેઓ પોતાના માંદા દીકરાને મહારાજશ્રીનાં દર્શન કરાવવા લઈ આવેલા અને મહારાજશ્રીએ કહ્યું કે “એને સારું થઈ જશે.” અને બીજે જ દિવસે એને સારું થઈ ગયેલું. એક વખત ગુજરાતની ધારાસભાની ચૂંટણીમાં ધંધુકામાંથી મહારાજશ્રીના ભક્ત શ્રી ગુલામ રસુલ કુરેશી કોંગ્રેસના ઉમેદવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy