SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧૦૧ એમણે ઘણું કાર્ય કર્યું અને વિવિધ હેતુઓ માટે એમની પ્રેરણાથી વિવિધ સંસ્થાઓ સ્થપાઈ. મહારાજશ્રીએ ભાલનળકાંઠાના પ્રદેશને પોતાના પ્રયોગનું કેન્દ્ર બનાવ્યું. એ માટે ગુંદીમાં આશ્રમ સ્થપાયો. આજે તો હવે અસ્પૃશ્યતા, ઢેડભંગી વગેરેને અડવાની વાત ભારતમાંથી લગભગ નિર્મળ થઈ છે. પરંતુ આઝાદી પહેલાનાં યુગમાં તો અસ્પૃશ્યતા ગામે ગામ જોવા મળતી. ભંગીવાસ જુદા હોય અને લોકો ગ ગંદકીભર્યું અપમાનિત અને પરોપજીવી જીવન જીવતા હતા. એ સમયે મહાત્મા ગાંધીજીએ સમગ્ર ભારતમાં અસ્પૃશ્યતા-નિવારણની મોટી ઝુંબેશ ઉપાડી હતી. ગાંધીજીએ ઢેડભંગી માટે “હરિજન” શબ્દ પ્રચલિત કર્યો હતો. ગાંધીજીને અનુસરીને મહારાજશ્રીએ પણ પોતાના જનહિતના કાર્યોમાં અસ્પૃશ્યતા નિવારણને સ્થાન આપ્યું હતું. તેઓ જ્યાં જાય ત્યાં હરિજનો માટેના વિસ્તારમાં આંટો મારી આવતા. ઢેડ-ભંગી માટે મહારાજશ્રી “ઋષિ' શબ્દ પ્રયોજતા. સાણંદમાં એમણે “ઋષિ બાલમંદિરની સ્થાપના કરાવી હતી. હરિજનોના વિસ્તારમાં એક ચક્કર લગાવીને એકાદ ઘરેથી ગોચરી પણ વહોરતા. એ જમાનામાં રૂઢિચુસ્ત સમાજમાં આવું કાર્ય ભારે સાહસિક ગણાતું. એટલે ક્યારેક મહારાજશ્રી પર લોકો ધૂળ ઉડાડતા, હુરિયો બોલાવતા, અપમાનિત કરતા, પરંતુ મહારાજશ્રી એવું કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખી હરિજન વિસ્તારમાં જવાના પોતાના નિર્ણયને મક્કમતાથી વળગી રહેતા. ક્યારેક હરિજનીની દુર્દશા જોઈને એમની આંખમાં આંસુ આવતાં. ક્યારેક એ માટે તે ઓ ઉપવાસ કરતા, ક્યારેક સાંજની પ્રાર્થનાસભામાં તેઓ તે વિશે પોતાના વિચારો અને અનુભવો રજૂ કરતા. એક વખત એક ગામમાં મહારાજશ્રી એક બાંકડા પર બેસી જાહેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy