SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૫ વિચારધારાને અનુરૂપ હતી. એમને સતત એમ લાગતું કે સમગ્ર વિશ્વ ઉપર નિયંત્રણ કરનાર કોઈ શક્તિ છે. એને કુદરત કહો, પ્રકૃતિ કહો કે ધરતી માતા કહો. કુદરતમાં એમની શ્રદ્ધા અને નિષ્ઠા વધતાં ગયાં. એક દિવસ તેઓ આંખો બંધ કરીને બેઠા હતા ત્યારે દિવ્ય પ્રકાશનું દર્શન થયું. આ દિવ્ય શક્તિ તે માતૃશક્તિ. એમણે એ માટે ‘ૐ મૈયા’નો જાપ ચાલુ કર્યો. આ મંત્રની એમની સાધના અનોખી અને ઊંડી હતી. એમને કેટલાક સંસ્કાર પોતાની માતા પાસેથી મળ્યા હતા. એટલે સ્ત્રીશક્તિમાં એમને માતાનાં દર્શન થતાં. તેઓ પ્રકૃતિમાતાથી એટલા બધા અભિભૂત થઈ ગયા હતા કે અજાણ્યાને એમનું વલણ-વર્તન ધૂની લાગે. એમણે પોતે લખ્યું છે, ‘ૐૐ મૈયા’નો જાપ હું પહેલેથી જપતો. આરંભમાં માત્ર કલ્પના જ હતી. પણ પછી એને સ્થૂળ રૂપ અપાયું. આ ધરતીને મેં માતા તરીકે સ્વીકારી. આપણા સૌના પગ ધરતીને અડેલા હોય છે. એટલે આખી માનવજાતનો ધરતી સાથે સંપર્ક હોય છે. એટલે મારી માનવજાત સાથે એકતા અનુભવવાના પ્રતીક તરીકે હું ધરતીને ચુંબન કરતો. આમ ૐૐ મૈયાના જાપને સ્થૂળ સ્વરૂપ મળ્યું. ત્યાર પછી એ વિધિમાં ફેરફાર થયો અને આંગળીથી માત્ર ધૂલિસ્પર્શ કરતો અને હૃદય સાથે ચાંપી, બે આંખે સ્પર્શ કરી હાથને બ્રહ્મરંધ્ર સુધી લઈ જતો.’ આ રીતે તેઓ આખા જગત સાથે વાત્સલ્યનો ભાવ અનુભવતા. એટલે જ ‘વાત્સલ્ય’, ‘વિશ્વવાત્સલ્ય’ જેવા શબ્દો એમના જીવનમાં વણાઈ ગયા હતા. શાસ્ત્રાભ્યાસ અને મૌન એકાંતવાસ દરમિયાન ચિંતનમનનને કારણે તેમના કેટલાક વિચારો સ્થાનકવાસી પરંપરા કરતાં જુદા થવા લાગ્યા હતા, જેમ કે તેઓ માનતા કે ચોવીસ કલાક મોંઢે મુહપત્તિ બાંધવાનું ફરજિયાત ન હોવું જોઇએ. તદુપરાંત સાધુઓએ પણ વડીલ સાધ્વીઓને વંદન કરવાં જોઇએ. કેશલોચ ફરજિયાત ન For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy