SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગદર્શનથી તેઓને જૈન સાહિત્યના લેખન-સંશોધનની લગની લાગી હતી તે હતા આચાર્ય શ્રી સુખસાગરજી મહારાજ અને આચાર્યશ્રી જિનકૃપાચંદ્રજી મહારાજ. આથી જ તેઓ બંને સુખી પરિવારના હોવાથી તથા ગુજરાન માટે આર્થિક ચિંતા ન હોવાથી સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા હતા અને ધનકમાણીને જીવનમાં ગૌણ સ્થાન આપ્યું હતું. એમાં પણ શ્રી અગરચંદજી નાહટા તો આઠ-નવ મહિના સતત લેખનઅધ્યયનમાં ગાળતા અને ત્રણચાર મહિના પોતાના કાપડના વ્યવસાયમાં ધ્યાન આપતા. શ્રી ભંવરલાલજી નાહટાએ કલકત્તા જઈને પોતાનો કાપડનો વ્યવસાય બરાબર જમાવ્યો હતો અને વેપારી કુનેહ તેમનામાં ઘણી હતી, પરંતુ દીકરાઓએ એ જવાબદારી સ્વીકારી લીધી તે પછી તેઓ પણ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ પોતાનો સમય ગાળતા. સ્વ. ભંવરલાલજી નવ ભારતીય ભાષા સારી રીતે લખીવાંચી શકતા. એ ભાષાઓ તે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, હિંદી અને બંગાળી. વળી તેઓ આમાંની કોઈપણ ભાષામાં શ્લોકબદ્ધ પદ્યરચના પણ કરી શકતા. અંગ્રેજી ભાષા વ્યવહાર પૂરતી એમને આવડતી. ભાષા ઉપરાંત બ્રાહ્મી, ખરોષ્ઠી, દેવનાગરી, જૈન દેવનાગરી, બંગાળી એમ વિવિધ લિપિઓના પણ તેઓ જાણકાર હતા. કિશોરવસ્થાથી જ હસ્તપ્રતો વાંચવાનો તેમને એવો સરસ મહાવરો થયો હતો કે ઝીણા અક્ષરે સળંગ શબ્દોમાં લખાયેલી હસ્તપ્રત પણ તેઓ ઝડપથી વાંચી શકતા. કોઈ જૂનો શિલાલેખ વાંચવો હોય તો નાહટાજીને વાર લાગતી નહિ. બ્રાહ્મી લિપિના અક્ષરો-શબ્દો પણ તેઓ તરત વાંચી શકતા. સિક્કા વગેરે પરનું લખાણ તેઓ ઉકેલી શકતા. પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ, અન્ય શિલ્પાકૃતિઓ, ચિત્રો, હસ્તપ્રતો ઇત્યાદિ જોતાં જ તેઓ એની શૈલી, રચનાકાળ, અર્થ, રહસ્ય વગેરે સમજાવી શકતા. એક વખત શ્રી અગરચંદજી નાહટા પાસે એક પ્રાચીન હસ્તપ્રત ૦ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy