SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આવી. પણ તેની લિપિ કોઈ ઉકેલી શકતું નહિ. એમણે ઘણા જાણકાર વિદ્વાનોને એ હસ્તપ્રત મોકલી. પણ કોઈ ઉકેલી શક્યું નહિ. છેવટે શ્રી ભંવરલાલજીએ એ કામ હાથમાં લીધું. તેઓ હસ્તપ્રતની બારાખડી મેળવવા લાગ્યા. એક એક અક્ષર મળતો જાય. એમ કરતાં કરતાં ઘણા પરિશ્રમને અંતે એમણે એ આખી હસ્તપ્રત વાંચી આપી હતી. કોઈ પણ લિપિ અથવા ગમે તેવા ખરાબ અક્ષરવાળું લખાણ ઉકેલવાની એમનામાં કોઠાસૂઝ હતી. ઘણા વખત પહેલાં હિંદી સાહિત્યના ઇતિહાસમાં એવો મત વિદ્વાનોમાં પ્રવર્તતો હતો કે હિંદી સાહિત્યની પ્રથમ ગદ્યરચના તે જટમલ નાહરકૃત “ગોરા બાદલ'ની કથા છે. પરંતુ આ કૃતિ ક્યાંયથી મળતી નહોતી. શ્રી ભંવરલાલજીને થયું કે આ કૃતિની ભાળ મેળવવી જોઈએ. એની હસ્તપ્રત ક્યાંય હોય તો તેની શોધ કરવી જોઈએ. સામાન્ય રીતે રાજસ્થાનના કવિની કૃતિની હસ્તપ્રત રાજસ્થાનના કોઈ ભંડારોમાં હોવી જોઈએ, પણ ત્યાં મળી નહિ. એટલે નાહટાજીએ અન્ય પ્રાંતોમાં પણ એની તપાસ આદરી. એમણે કલકત્તામાં સ્વ. પૂરણચંદજી નાહરને વાત કરી. પૂરણચંદજીનો સંગ્રહ પણ ઘણો મોટો હતો, પરંતુ એમાંથી કોઈ પ્રતિ મળી નહિ. ત્યાર પછી એમણે કલકત્તાની રોયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં રહેલી હસ્તપ્રતો જોઈ અને સદ્ભાગ્યે ત્યાં રજિસ્ટરમાં જટમલજી નાહરકૃત “ગોરા બાદલની હસ્તપ્રતનો ઉલ્લેખ હતો. એટલે એમણે એ હસ્તપ્રત કઢાવી અને વાંચી ત્યારે ખબર પડી કે એ ગદ્યકૃતિ નથી પણ પદ્યકૃતિ છે. એ વિશે એમણે તરત લેખ લખ્યો અને “ગોરા બાદલ' વિશે હિંદી સાહિત્યમાં ચાલતી ભ્રાન્તિ દૂર થઈ. એક ભાષામાંથી બીજી ભાષામાં કોઈ પણ કૃતિનો ગદ્યમાં કે પદ્યમાં અનુવાદ કરવો એ નાહટાજી માટે ડાબા હાથના ખેલ જેવું હતું. તેઓ મૂળ કૃતિ સાથે એવા તન્મય બની જતા કે પછી અનુવાદની એક પછી એક પંક્તિ અવતરવા લાગતી. એક વખત એમને “ભક્તામર સ્વ. ભંવરલાલજી નાહટા : [ ૯૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy