SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્ર'નો હિંદીમાં પદ્યાનુવાદ કરવાનો ભાવ થયો. એ ભાવ એટલો ઉત્કટ હતો કે પછી એમનાથી રહેવાયું નહિ. રાત્રે તે પદ્યમાં અનુવાદ કરવા બેસી ગયા અને આખી રાત જાગી, સવા૨ થાય એ પહેલાં ૪૪ શ્લોકોનો હિંદીમાં પદ્યાનુવાદ કરી લીધો. શ્રી નાહટાજીએ આવી રીતે ‘કલ્યાણમંદિર સ્તોત્ર’, ‘રત્નાકર પચ્ચીસી' વગેરે કેટલીક કૃતિઓનો પણ પદ્યમાં હિંદીમાં અનુવાદ કર્યો છે. શ્રી નાહટાજીએ સેંકડો લેખો લખ્યા છે અને અને ગ્રંથો સંશોધિત-સંપાદિત કર્યા છે. જ્યાં સુધી કાકા શ્રી અગરચંદજી વિદ્યમાન હતા ત્યાં સુધી એમણે ઘણુંખરું અગરચંદજીની સાથે સંશોધન-સંપાદનનું કાર્ય કર્યું હતું. જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનકુશલસૂચિ, સમયસુંદર વગેરે વિશે અને એમની કૃતિઓ વિશે એમણે સંશોધન-સંપાદન કર્યું છે. તીર્થસ્થળો વિશે ઐતિહાસિક માહિતી એકત્ર કરવી એ નાહટાજીની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એમણે કાંગડા, જાલોર, શ્રાવસ્તી, ક્ષત્રિયકુંડ, રાજગૃહી, વારાણસી, કાંપિલ્યપુર, ચંપાપુરી વગેરે તીર્થો વિશે ગ્રંથો લખ્યા છે. ઠક્કર ફેરુ કૃત દ્રવ્યપરીક્ષા', બીકાનેર જૈન લેખસંગ્રહ, ‘વિવિધ તીર્થકલ્પ' ઇત્યાદિ ગ્રંથોમાં એમની ઐતિહાસિક દૃષ્ટિ જોઈ શકાય છે. શ્રી નાહટાજી પત્રકાર પણ હતા. વિવિધ સામયિકોમાં લખવા ઉપરાંત તેઓ ‘કુશલનિર્દેશ' નામનું એક હિંદી માસિક પત્ર ચલાવતા. એમાં તેઓ પોતાના લેખો પ્રકાશિત કરતા અને કેટલીક વાર પોતે જે વાંચ્યું હોય અને ગમ્યું હોય તેનો હિંદીમાં અનુવાદ કરીને ‘કુશલનિર્દેશ’માં પ્રકાશિત કરતા. ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત થયેલા મારા કેટલાક લેખોના અનુવાદ કરીને એમણે ‘કુશલનિર્દેશ’માં પ્રગટ કર્યા હતા. નાહટાજીનો પહેરવેશ તદ્દન સાદો હતો. પહેરણ અને ધોતિયું, સાંપ્રત સહચિંતન ૯૨ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy