SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. ભંવરલાલજી નાહટા આપણા મૂર્ધન્ય જૈન સાહિત્યકાર શ્રી ભંવરલાલજી નાહટાનું ૯૧ વર્ષની વયે કલકત્તામાં અવસાન થયું હતું. એથી આપણા સાહિત્યાકાશનો એક તેજસ્વી તારલો ખરી પડ્યો હતો. શ્રી ભંવરલાલજી નાહટા એટલે આપણા અગ્રગણ્ય સાહિત્યમનીષી, લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર, નામાંકિત પુરાતત્ત્વવેત્તા, બહુભાષાવિદ, પ્રાચીન લિપિઓના જ્ઞાતા, શિલ્પાદિ કલાઓના અભ્યાસી, કવિ, સંશોધક અને માર્ગદર્શક, જૈન ધર્મ અને દર્શનના મર્મજ્ઞ, સરળહૃદયી, વિનમ્ર અને ઉદારચરિત સંઘ-સ્થવિર. એમના સ્વર્ગવાસથી જૈન વાનમયના ક્ષેત્રે ન પુરાય એવી ખોટ પડી છે. - શ્રી ભંવરલાલ નાહટાનો જન્મ રાજસ્થાન બીકાનેર શહેરમાં વિ.સં. ૧૯૬૮ના આસો વદ ૧૨ તા. ૧૯-૯-૧૯૧૧ને મંગળવારના રોજ થયો હતો. તેઓ બીકાનેરના તે સમયના જાણીતા શ્રેષ્ઠી શ્રી શંકરદાનજી નાહટાના પરિવારમાં જન્મ્યા હતા. એમના પિતાશ્રીનું નામ ભૈરુદાનજી અને માતુશ્રીનું નામ શ્રીમતી તીજાદેવી હતું. સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા તેમના કાકા થાય. બાળલગ્નોના એ જમાનામાં શ્રી નાહટાજીનાં લગ્ન ચૌદ વર્ષની વયે શેઠશ્રી રાવતમલજી સુરાણાની સુપુત્રી શ્રી જતનકુંવર સાથે થયાં ૮૮ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy