SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વખતોવખત પૂછતા રહેવાથી આવાં જોખમોથી વેળાસર બચી જવાય છે. બાળકો પ્રભુના પયગંબર છે. બાળકો પ્રભુનાં પ્યારાં છે. આજનાં બાળકો આવતી કાલના નાગરિકો છે. બાળકોનાં સમય અને શક્તિનું સુંદ૨, વ્યવસ્થિત આયોજન પ્રત્યેક ગ્રામ-નગરમાં જો થાય તો ભાવિ ઘણું ઉજ્જવળ બને. એ માટે વાત્સલ્યસભર નિવૃત્ત માણસો પોતાના સમયનો ભોગ આપવા તત્પર હોય એવા અવશ્ય મળી રહે જ. બાળકોની ઉપેક્ષા એ આપણી પોતાની જ ઉપેક્ષા છે. બાળકો પ્રત્યેનો દુર્વ્યવહાર સમાજને પોતાને જ નુકસાનકારક નીવડવાનો છે. સામાજિક તકેદારી જેટલી વધશે એટલો સમાજને પોતાને જ લાભ થવાનો છે. આપણા દેશમાં ચારે બાજુ સમસ્યાઓ છે. ભ્રષ્ટાચારનો પાર નથી. નિષ્ઠાનો અભાવ ઠેર ઠેર જોવા મળે છે. સરકારી તંત્રોની કાર્યદક્ષતા ઉત્તરોત્તર ઘટતી જાય છે. રાજકારણીઓની ખેંચતાણો હિંસક બની જાય છે. લોકસેવાની ભાવના ઘસાતી જાય છે. આવી વિષમ સ્થિતિમાં ફક્ત બાળકોની સમસ્યા વિચારવાથી શો લાભ એવો પ્રશ્ન કોઈકને અવશ્ય થાય. પરંતુ પોતાની રુચિ અને નિષ્ઠા અનુસાર કોઈક લોકસેવકો ફક્ત બાળકોની સમસ્યા પૂરતું પોતાનું લક્ષ કેન્દ્રિત કરે તો પણ કેટલુંક સંગીન કાર્ય આ દિશામાં અવશ્ય થઈ શકે. આપણી ભાવી પેઢીના ઉજ્જવળ નિર્માણ માટે આપણે હંમેશાં સચિંત રહેવું જોઈએ. *** બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર Jain Education International For Private & Personal Use Only [ ૮૭ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy