SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હળવી થાય છે, પણ બાળકનું શોષણ થાય છે અને એક તેજસ્વી કારકિર્દી રગદોળાઈ જાય છે. વિશ્વમાં બાળમજૂરોની સમસ્યા પણ ઘણી મોટી છે. એના નિરાકરણ માટે સમાજહિતચિંતકો વિવિધ ઉપાયો યોજે છે. પરંતુ બેચાર વર્ષમાં સંપૂર્ણ ઉકેલ આવી જાય એવી આ સમસ્યા નથી. એનાં મૂળ ઘણાં ઊંડાં છે અને સ્થાપિત હિતો જબરાં છે. ઘરમાં વડીલો અને શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને માર મારવાના બનાવો ઘણા બને છે. મારની ધાક વગર બાળક સુધરે નહિ એ ખ્યાલ હવે જુનવાણી થઈ ગયો છે. બુધે છોકરું છાનું રહે અથવા “સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ' જેવી કહેવતો હવે કાલગ્રસ્ત થઈ છે. કેટલાયે પ્રગતિશીલ દેશોમાં આવી શિક્ષા પર હવે પ્રતિબંધ છે. બાળ-માનસ (Child Psychology)નો અભ્યાસ દુનિયાભરમાં થવા લાગ્યો છે અને બાળકોને સુધારવાના, માર સિવાયના, વિવિધ ઉપાયો સૂચવાય છે અને એનો અમલ થાય છે. વસ્તુતઃ મા-બાપ અને વડીલો બાળકની ઉપેક્ષા કરે તો જ બાળકને માર મારીને સીધા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જયાં પ્રેમપૂર્વક બાળકની સંભાળ લેવાય છે ત્યાં એને મારની શિક્ષા કરવાનો પ્રસંગ ઊભો થતો નથી. અતિશય દુઃખ, કલેશ કંકાસ વગેરેને કારણે કેટલાંક સ્ત્રીપુરુષો પોતે આપઘાત કરે છે અને તે ક્ષણ પહેલાં પોતાનાં નિર્દોષ બાળકોને પણ મારી નાખે છે. સમાજમાં સમજ અને સંસ્કારિતાનું પ્રમાણ વધે તો જ આવા કિસ્સા બનતા અટકે. એ માટે કેળવણી ઉપર વધુ લક્ષ અપાય એ આવશ્યક છે. આપણા દેશમાં સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રત્યે જેટલું લક્ષ અપાય છે તેટલું પ્રાથમિક શિક્ષણ પ્રત્યે નથી અપાતું. દેશ પણ વિશાળ છે અને કાર્ય પણ ઘણું મોટું છે. તો પણ આ દિશામાં નિષ્ઠાથી વધુ કાર્ય બાળકોઃ ઉપેક્ષા અને દુર્વ્યવહાર [ ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy