SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ગંદા અને અશિક્ષિત છે. શારીરિક અને સામાજિક સ્વાસ્થ્યની તેમને કશી સમજણ કે ગતાગમ નથી. આપણા દેશમાં સ્વચ્છતાના અભિયાનની મોટી જરૂર છે. ગાંધીજીએ સમગ્ર ભારતનું જાતે ફરીને નજરે અવલોકન કર્યા પછી રચનાત્મક કાર્યક્રમોમાં સ્વચ્છતાને પણ મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. જેમાં કશું જ ખર્ચ થતું નથી અને લોકો સ્વેચ્છાએ ફાજલ સમય આપીને પોતપોતાના વિસ્તારમાં સારી સ્વચ્છતા જાળવી શકે એમ હોય છે એવા સ્વચ્છતાના અભિયાનનું આયોજન સામાજિક સ્તરે થવું જોઈએ. અજ્ઞાન, આળસ અને જાગૃતિના અભાવે લોકો ગંદકીમાં રહેવાને ટેવાઈ ગયા છે. ગંદકી તેમને ખૂંચતી નથી. એટલું જ નહિ, ગંદકી તેમને ગંદકી લાગતી નથી. પરિણામે ગંદકીના કારણે વારંવાર રોગચાળાની અને મૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. બાળકો ઉપર એની વધુ અસર થાય છે. શરમજનક વાત તો એ છે આપણી કેટલીયે સરકારી કે બિનસરકારી હૉસ્પિટલો પોતે જ ગંદો હોય છે. કોઈક ચેપી રોગની શરૂઆત હૉસ્પિટલથી જ થાય છે. આ દિશામાં સક્રિય પગલાં લેવાવાં જોઈએ. વળી પ્રાથમિક શાળાનાં બાળકોમાં જો સ્વચ્છતાના અને આરોગ્યના શિક્ષણ ઉપર ઘણો બધો ભાર આપવામાં આવે તો આવા કિસ્સા ઓછા બને. એ માટે કરેલું ખર્ચ અવશ્ય લેખે લાગશે. કેટલાંયે બાળકો મા-બાપની આર્થિક સ્થિતિને કારણે, તેઓમાંના આપસના ઝઘડાને પરિણામે, દોસ્તારોની ખોટી સોબતને કારણે, ચલચિત્રો-ટી.વી.ની માઠી અસરના પરિણામે ઘર છોડીને ભાગી જાય છે અને ગુનાઓમાં સંડોવાય છે. પછાત દેશોમાં આવા બાળગુનેગારોનું પ્રમાણ વધુ હોય એ દેખીતું છે. બાળકોની ઉપેક્ષાનું એ પરિણામ છે. કેટલાંક મા-બાપ કે ઘરનાં વડીલો નાનાં બાળકોને નાની-મોટી પરચૂરણ નોકરીમાં જોડી દે છે. એથી કુટુંબની આર્થિક ચિંતા થોડી ૮૨ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy