SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ લાખ કરતાં વધુ માણસો અપંગ બન્યા છે. ગરીબી અને એમાં પાછું અપંગપણું એટલે મજબૂરીનો પાર નહિ. વળી સતત ભયભરેલું જીવન. ત્યાં સરકારી સુરક્ષા નહિવત્ છે. એટલે એમનાં ગામડાંઓ સુધી તબીબી રાહત પણ પહોંચી શકતી નથી. તુસી અને હુતુ લોકો વચ્ચેની દુશ્મનાવટની એક લાક્ષણિકતા એ કે ‘માણસને મારી નાખવાની તક ન મળે તો એના પગ ભાંગી નાખો. જીવનભર એને અપંગ બનાવી દો. નાનાં બાળકોના પગ ભાંગો કે જેથી જીવનભર એ યાદ કરતો રહે.’ બંને કોમ વચ્ચેની આ યુદ્ધનીતિને કારણે અનેક લોકોના પગ ભાંગી ગયા છે. વળી, સરકાર તરફથી સંરક્ષણ ન મળે અને અચાનક એક કોમનું મોટું સશસ્ત્ર ટોળું આક્રમણ કરવા આવી ચડે તો નાનાં ગામડાંના લોકોએ શું કરવું ? એટલે તેઓએ ગામની આસપાસ સુરંગો બિછાવી છે. આ સુરંગોને લીધે પણ અનેક લોકો અપંગ થયા છે. બુજુમ્બુરાના આ પ્રૉજેક્ટ માટે ભારતથી મોકલેલા ટેનિશિયનોએ ત્યાં ઘણો લાંબો સમય રહીને સ્થાનિક કર્મચારીઓને જયપુર ફૂટ બનાવવાની અને બેસાડવાની તાલીમ આપી હતી અને એ રીતે કામકાજની દૃષ્ટિએ કેન્દ્ર સ્વનિર્ભર બની ગયું છે. કાચી સામગ્રી બધી તેઓને ભારતથી વિના મૂલ્યે મોકલવામાં આવે છે. બુજુમ્બુરામાં શહેરની બહારના એક વિસ્તા૨માં ‘જયપુર ફૂટ’નું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. રોજેરોજ જે જે દર્દીઓ આવે તેમના પગનું માપ લઈ, તે માપના પગ તૈયાર હોય તો તરત બેસાડી આપવામાં આવે છે અને થોડા કલાકમાં દર્દી પોતાની મેળે ચાલતો થઈ જાય છે. ગરીબ અપંગ સ્રીપુરુષને આ રીતે મફત મળતો કૃત્રિમ પગ ખરેખર આશીર્વાદરૂપ બની જાય છે. બુજુમ્બુરામાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ સ્ત્રીપુરુષોને મફત પગ બેસાડી આપવામાં આવ્યા છે. æ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy