SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે શ્રી કલાપૂર્ણવિજયજીને પોતાની સાથે ચાતુર્માસ કરવા કહ્યું હતું કે જેથી સતત એકબીજાને મળી શકાય. એ મુજબ કલાપૂર્ણસૂરિજીએ વિ.સં. ૨૦૩૧નું ચાતુર્માસ બેડામાં, વિ.સં. ૨૦૩૨નું લુણાવામાં અને વિ.સં. ૨૦૩૩નું પિંડવાડામાં પ.પૂ. શ્રી ભદ્રંકરવિજયજી સાથે કર્યું હતું. પંન્યાસજી મહારાજ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા. તેમણે આચાર્યની પદવી ક્યારેય સ્વીકારી નહોતી. શ્રી કલાપૂર્ણસૂરિ આચાર્ય હતા, પરંતુ એમને વંદન કરતા અને એમની સન્મુખ નીચા આસને બેસતા હતા. આ ત્રણ વર્ષ દરમિયાન શ્રી કલાપૂર્ણસૂરિજીને શાસ્ત્રબોધ, તત્ત્વચિંતન, આચારશુદ્ધિ તથા ધ્યાન વગેરે દ્વારા કરાતી સાધનાની અનુભૂતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. શ્રી કલાપૂર્ણસૂરિજી કહેતા કે “જો પંન્યાસજી મહારાજ અમને ન મળ્યા હોત તો અમારું ઘડતર ન થયું હોત.” આમ પ.પૂ. શ્રી પંન્યાસજી મહારાજના એક સાચા ઉત્તરાધિકારી શ્રી કલાપૂર્ણસૂરિજી બન્યા હતા. - શ્રી કલાપૂર્ણસૂરિજી જ્યાં જયાં વિહાર કરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ જામી જતું. કેટલીક વાર ગામમાં ઝઘડા હોય તો તે એમના આગમનથી શમી જતા. ક્યારેક કુટુંબો વચ્ચે વેરભાવની વર્ષો જૂની ગાંઠ પડી ગઈ હોય તો તે તેઓ ઉકેલી આપતા. તેઓ બંને પક્ષને વારાફરતી બોલાવીને સમજાવતા અને પચી બંનેને એકત્ર કરી બંને પાસે પ્રેમથી પરસ્પર ભાવપૂર્વક “મિચ્છામિ દુક્કડ' કરાવતા. શ્રી કલાપૂર્ણસૂરિજી કાયમ એકાસણું અને પર્વ તિથિએ ઉપવાસ કરતા. પરંતુ તેઓ વ્યાખ્યાન પછી દેરાસરમાં પ્રભુભક્તિ કરવા બેસી જતા અને એક પછી એક સ્તવનો લલકારતા. “પ્રીતલડી બંધાણી રે સ્તવન તો રોજ જ બોલાતું. પોતે સ્તુતિ કરતા ત્યારે ખ્યાલ ન રહે કે કેટલા વાગ્યા છે. ગોચરી વાપરતાં બપોરના એક, દોઢ, બે તો સામાન્ય રીતે થઈ જતા. ગોચરી વાપરવામાં પણ રસ નહિ. જે મળ્યું તે વાપરી સ્વ. ૫.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy