SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પંન્યાસની પદવી પછી શ્રી કલાપૂર્ણવિજયજી સમુદાયના વડા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી સાથે કચ્છમાં વિચરતા અને એમની સાથે ચાતુર્માસ કરતા. તેઓ હંમેશાં એમની સેવામાં તત્પર રહેતા. હવે શ્રી દેવેન્દ્રસૂરિજી વૃદ્ધ થયા હતા. એમાં વળી એમના પગનું હાડકું ભાંગવાથી તેઓ બહુ વિહાર કરી શકતા નહોતા. આથી તેમની ઈચ્છા હતી કે હવે જો શ્રી કલાપૂર્ણવિજયજી આચાર્યની પદવી ગ્રહણ કરીને સમુદાયની સંભાળ રાખે તો પોતે નિવૃત્ત થઈ શકે. પરંતુ શ્રી કલાપૂર્ણવિજયજીની ઇચ્છા પદવી લેવાની નહોતી. આમ છતાં એક વખત શ્રી દેવેન્દ્રસૂરિએ આ અંગે કોઈ ભક્ત આગળ પોતાની વેદના જાહેર કરી ત્યારે શ્રી કલાપૂર્ણવિજયજીને એમ લાગ્યું કે પોતે હવે આચાર્યની પદવી ગ્રહણ કરી લેવી જોઈએ. એમણે એ માટે સંમતિ આપી. સં. ૨૦૨૮માં લાકડીઆમાં પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે ચાતુર્માસ કર્યા પછી છરી પાળતો સંઘ ભદ્રેશ્વર ગયો અને ત્યાં એમને આચાર્યની પદવી આપવાનો મહોત્સવ થયો. શ્રી કલાપૂર્ણવિજયજીની સંયમયાત્રા અને આત્મસાધના ઊંચી કોટિની હતી, પરંતુ તેમાં પણ પ.પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીના સમાગમ પછી વહુ વેગ આવ્યો હતો. આ બંને મહાત્માઓનું પ્રથમ મિલન કચ્છની ધરતી ઉપર થયું હતું. તેઓ બંને કચ્છમાં વિહારમાં હતા ત્યારે વિ.સં. ૨૦૧૩માં ભુજપુર મુકામે મળ્યા હતા. તે વખતે કલાપૂર્ણવિજયજીને પોતાની નવકાર મંત્રની આરાધના અને ધ્યાનસાધના માટે માર્ગદર્શક ગુરુનાં દર્શન શ્રી પંન્યાસજી મહારાજમાં થયાં. બંને મહાત્માઓ મળ્યા ત્યારે જાણે આત્માએ આત્માને ઓળખી લીધો હોય એવું બન્યું. પછીથી તો કલાપૂર્ણવિજયજી પૂજ્ય પંન્યાસજી મહારાજના પત્ર દ્વારા સતત સંપર્કમાં રહેતા. ત્યાર પછી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ રાજસ્થાનમાં હતા અને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા ત્યારે 0 ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy