SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આઘાત લાગ્યો. પણ પછી તેમણે સમાધાન કેળવ્યું કે જે કાળે જે બનવાનું હોય તે જ બને છે. શ્રી કનકસૂરિજીના કાળધર્મ પછી સમુદાયની જવાબદારી શ્રી દેવેન્દ્રસૂરિજીના માથે આવી. દરમિયાન દીક્ષાગુરુ શ્રી કંચનવિજયજી પણ કાળધર્મ પામ્યા. મુનિ તરીકે કલાપૂર્ણવિજયજીએ સારી સજ્જતા પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે શાસ્ત્રાભ્યાસ કરી લીધો હતો. સ્તવનો કંઠસ્થ હતાં. બીજાં કેટલાંયે સૂત્રો, શ્લોકો, સુભાષિતો પણ તેમણે કંઠસ્થ કરી લીધાં હતાં. વડીલો પાસેથી જૈન શાસનની અને ઐતિહાસિક પરંપરાની ઘણી પ્રેરક વાતો તેમણે સાંભળી હતી. તેમની વ્યાખ્યાનશક્તિ બહુ ખીલી હતી. તેમનામાં વિનય, લઘુતા, સમતા, શાન્તિ, તપશ્ચર્યા, ભક્તિ, વૈરાગ્ય, મૈત્રી, ઉદારતા, માધ્યસ્થતા ઇત્યાદિ ગુણોનો સારો વિકાસ થયો હતો. તેમની દીક્ષાને હવે પંદર વર્ષ થઈ ગયાં હતાં. આથી વાગડના સંઘો તરફથી અને વડીલ સાધુઓ તરફથી એમને પંન્યાસની પદવી ગ્રહણ કરવા માટે વારંવાર વિનંતી થતી હતી, પણ શ્રી કલાપૂર્ણવિજયજી એ લેવા ના કહેતા. એટલે એ વાત સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરિ મહારાજ પાસે ગઈ. શ્રી પ્રેમસૂરિ મહારાજે એમને ટૂંકામાં એટલું જ લખ્યું કે ‘સમુદાયની જવાબદારી સ્વીકારવી એ કર્તવ્યરૂપ છે, અને આરાધનારૂપ છે. એ થકી કર્મની નિર્જરા થાય છે.' આથી શ્રી કલાપૂર્ણવિજયજીએ છેવટે સંમતિ આપી અને વિ.સં. ૨૦૨૫માં લોદી નગરમાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ એમને ઉત્સાહપૂર્વક પંન્યાસની પદવી આપી. આ પ્રસંગે વિશેષ આનંદની વાત એ બની કે સંસારી પક્ષે શ્રી કલાપૂર્ણવિજયજીના ભત્રીજા શ્રી હેમચંદ્રભાઈને પણ દીક્ષા લેવાના ભાવ થયા અને એમને દીક્ષા આપવામાં આવી. એમનું નામ મુનિ શ્રી કીર્તિચન્દ્રવિજયજી રાખવામાં આવ્યું. સ્વ. પ.પૂ.શ્રી લાપૂર્ણસૂરિજી મહારાજ Jain Education International For Private & Personal Use Only [ ૫૯ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy