SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંત શ્રી કનકસૂરિ સાથે વિચર્યા. એમાંથી એમને ઘણી પ્રેરણા મળી. ત્યાર પછી શ્રી કનકસૂરિ મહારાજે શ્રી કલાપૂર્ણવિજયનો ક્ષયોપશમ જોઈને એમને પ.પૂ. સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરિ મહારાજની પાસે અભ્યાસ કરવા મોકલ્યા. શ્રી પ્રેમસૂરિ મહારાજનો સમુદાય ઘણો મોટો હતો. તેઓ કર્મસિદ્ધાન્તનો ગહન અભ્યાસ કરાવતા હતા. એ રીતે શ્રી કલાપૂર્ણવિજયજીએ સં. ૨૦૧૪માં વઢવાણમાં અને ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં શ્રી પ્રેમસૂરિદાદા સાથે ચાતુર્માસ કર્યાં. ત્યાર પછી શ્રી કલાપૂર્ણવિજયજી શ્રી કનકસૂરિદાદા પાસે આવી પહોંચ્યા. એક વર્ષ ચાતુર્માસ એમની સાથે કર્યું. દરમિયાન ગુરુ મહારાજને લાગ્યું કે શ્રી કલાપૂર્ણવિજયજી હવે ન્યાયદર્શનનો પણ બરાબર અભ્યાસ કરે તો સારું. એ વખતે જામનગરમાં પંડિત વ્રજલાલભાઈ સાધુ-સાધ્વીને ન્યાયદર્શનનો અભ્યાસ કરાવતા. એટલે આચાર્ય મહારાજે શ્રી કલાપૂર્ણવિજયજીને જામનગર મોકલ્યા. સં. ૨૦૧૭ અને ૨૦૧૮ એમ બે ચાતુર્માસ એમણે જામનગરમાં કર્યાં અને ત્યાં રહીને ન્યાયદર્શનનો બરાબર અભ્યાસ કર્યો. આમ દીક્ષા પછીનાં ચારેક વર્ષમાં શ્રી કલાપૂર્ણવિજયજીએ શાસ્ત્રાભ્યાસ સઘન કરી લીધો. અભ્યાસ કર્યા પછી શ્રી કલાપૂર્ણવિજયજી પોતાના ગુરુ મહારાજ સાથે કચ્છમાં જોડાઈ ગયા. ત્યારપછી સં. ૨૦૧૯નું ચાતુર્માસ ભચાઉ નક્કી થયું. એ વખતે કચ્છ ગાંધીધામના સંઘે બે સાધુ મહારાજને ચાતુર્માસ માટે ગાંધીધામ મોકલવા આચાર્યશ્રીને વિનંતી કરી. એ વખતે શ્રી લાપૂર્ણવિજયજીની ભાવના તો ગુરુ મહારાજશ્રીની સાથે જ રહેવાની હતી. પરંતુ ગુરુઆજ્ઞા થતાં તેઓ ગાંધીધામમાં ચાતુર્માસ માટે ગયા. આ ચાતુર્માસ પૂરું થાય તે પહેલાં તો વયોવૃદ્ધ ગુરુ મહારાજ શ્રી કનકસૂરિદાદા કાળધર્મ પામ્યા. અંતે સમયે ગુરુ મહારાજની પાસે ન રહેવાયું એનું દુઃખ થયું અને માથેથી જાણે શિરછત્ર ગયું હોય એવો ૫૮ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy