SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનનું આ એક મોટું પ્રસ્થાન થયું. ફલોદીના આ દીક્ષા મહોત્સવમાં એકસાથે એક જ પરિવારના પાંચ સભ્યો હતા. અક્ષયરાજનું નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજય રાખવામાં આવ્યું. એમનાં પત્ની રતનબહેનનું નામ સાધ્વી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી રાખવામાં આવ્યું. એમના બંને દીકરાઓ મુનિ શ્રી કલાપ્રભવિજય અને મુનિ શ્રી કલ્પતરુવિજય થયા. મિશ્રી લાલજી બન્યા મુનિ શ્રી કલધૌતવિજયજી. આમ એકસાથે પાંચ દીક્ષા થતાં ફલોદીની ધરતી પાવન થઈ ગઈ. ફલોદીના આ મોટા દીક્ષા મહોત્સવ પછી સંઘે સર્વને આગ્રહભરી વિનંતી કરી કે તેઓ બધાં ચાતુર્માસ પણ ત્યાં જ કરે. ગુરુ આજ્ઞા મળતાં તેઓનું ચાતુર્માસ ત્યાં જ થયું. - આ પાંચે નવદીક્ષિતોમાંથી શ્રી કલાપૂર્ણવિજયને તથા શ્રી કલધૌતવિજયને શ્રી કનકસૂરિના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. બંને બાલમુનિઓને શ્રી કલાપૂર્ણવિજયના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. રતનબહેન સુવર્ણપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સુનંદાશ્રીજીનાં શિષ્યા બન્યાં. એક અક્ષયરાજને દીક્ષા લેવાના ભાવ થયા, તેમાંથી કુલ પાંચ જણને તેવા ભાવ થયા એટલું જ નહિ, ફલોદીમાં ચાતુર્માસ પછી અક્ષયરાજના સાળા નથમલને પણ દીક્ષા આપવામાં આવી. ચાતુર્માસ પછી તેઓ સર્વે ફલોદીથી વિહાર કરતા કરતા ગુજરાતમાં રાધનપુર પધાર્યા. ત્યાં એમને પોતાના ગુરુ આચાર્ય શ્રી કનકસૂરિનાં દર્શન-વંદન થતાં તેમના આનંદનો પાર ન રહ્યો. હવે વડી દીક્ષાની પણ તૈયારી થઈ અને વિ.સં. ૨૦૧૧ના વૈશાખ સુદ સાતમના રોજ સાંતલપુર મુકામે શ્રી કનકસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી. દીક્ષા પછી મુનિ શ્રી કલાપૂર્ણવિજય ત્રણેક વર્ષ પોતાના ગુરુ સ્વ. ૫.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy