SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છા પ્રગટ કરી. એમની યોગ્યતા જાણીને ૫.પૂ. શ્રી કનકસૂરિજીએ સંમતિ આપી, પરંતુ તે પહેલાં શાસ્ત્રોનો અભ્યાસ કરવા જણાવ્યું. અક્ષયરાજને જેમ દીક્ષાનો ભાવ થયો તેમ એમના સસરાને પણ દીક્ષા લેવાનો ભાવ થયો. ફલોદી આવીને અક્ષયરાજે ઘરે વાત કરી તો પત્ની રતનબહેને પણ દીક્ષા લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી. બંને દીકરાઓએ પણ એ જ માર્ગે જવાનો પોતાનો સંકલ્પ જણાવ્યો. આવો શુભ સંકલ્પ થતાં વેપાર-ધંધો સંકેલાઈ ગયો અને રાજનંદગાંવથી તેઓ અમદાવાદમાં આવીને વિદ્યાશાળામાં અભ્યાસ કરવા આવ્યા. તે વખતે ત્યાં સંઘસ્થવર શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી મહારાજ) બિરાજમાન હતા. એમની નિશ્રામાં ચાતુર્માસમાં તેઓ રહ્યા અને શ્રાવક તરીકે સાધુજીવનની તાલીમ લીધી. રતનબહેન ભાવનગર ગયાં અને ત્યાં સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી પાસે રહીને અભ્યાસ કરવા લાગ્યાં. આ રીતે લગભગ એક વર્ષ તેઓ બધાંએ અભ્યાસ કર્યો. ત્યારપછી તેમની બધાંની સંયમમાર્ગ માટેની યોગ્યતા અને તાલાવેલી જોઈને ૫.પૂ. શ્રી કનકસૂરિજી મહારાજે તેઓ પાંચને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. દીક્ષા લેવાનો નિર્ણય તો થયો, પરંતુ અક્ષયરાજ અને તેમના પરિવારને દીક્ષા પોતાના વતન ફલોદીમાં લેવાની ભાવના હતી અને વૃદ્ધ શ્રી કનકસૂરિ મહારાજ વિહાર કરીને ફલોદી સુધી પહોંચી શકે એમ નહોતા. એટલે એમણે પોતાના શિષ્યો શ્રી રત્નાકરવિજયજી અને કંચનવિજયજીને ફલોદી મોકલ્યા. શ્રી કંચનવિજયજી ફલોદીના જ વતની હતા. વિ.સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ (ભગવાન મહાવીર સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકનો દિવસ)ના રોજ તેઓને મોટા ઉત્સાહપૂર્વક દીક્ષા આપવામાં આવી. સાધુજીવનનો ઓઘો મળતાં તેમનાં હૈયાં નાચી ઊઠ્યાં. પs ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy