SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજનું સાહિત્ય વાંચીને અક્ષયરાજને આધ્યાત્મિક રુચિ જાગ્રત થઈ. પ્રભુભક્તિ સાથે કાયોત્સર્ગ અને ધ્યાનનો એમનો અભ્યાસ પણ વધતો ગયો. એક દિવસ રાજનંદગાંવથી અક્ષયરાજ ફલોદી આવ્યા હતા. તે વખતે ફલોદીમાં પ.પૂ. શ્રી લબ્ધિસૂરિ મહારાજનું ચાતુર્માસ હતું. અક્ષયરાજ પોતાના નિત્યના નિયમ મુજબ દેરાસરે પૂજા કરવા જતા, વ્યાખ્યાનમાં બેસતા, સામાયિક કરતા, સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા. ચાતુર્માસમાં રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી કેટલાક શ્રાવકો શ્રી લબ્ધિસૂરિ મહારાજ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા. એક વખત કોઈક શ્રાવકે પ્રશ્ન કર્યો કે “સાહેબજી ! આ કાળમાં ત્યાગ, વૈરાગ્ય, સંયમ, વિશુદ્ધ આચારપાલનમાં અને ઉચ્ચ આત્મદશામાં ચડી જાય એવા મહાત્મા કોણ ?' શ્રી લબ્ધિસૂરિ મહારાજે કહ્યું, “અમારી જાણમાં છે તે મુજબ વાગડ દેશોદ્ધારક પ.પૂ. શ્રી કનકસૂરિનું નામ એ માટે બોલાય છે.” આ સાંભળતાં જ અક્ષયરાજને મનમાં થયું કે શ્રી કનકસૂરિ મહારાજને અવશ્ય મળવું જોઈએ. તે સમયે વિ.સં. ૨૦૦૯માં શ્રી કનકસૂરિ મહારાજ પાલીતાણામાં બિરાજમાન હતા. અક્ષયરાજે ઘરમાં વાત કરી. તેઓ પાલીતાણા જવા ઇચ્છે છે એ જાણીને એમના સસરા મિશ્રીલાલજીએ પણ સાથે આવવાની ઇચ્છા બતાવી. નક્કી થતાં તેઓ બંને પાલીતાણા પહોંચ્યા. શ્રી કનકસૂરિ મહારાજનાં દર્શન-વંદન કર્યા. જોતાં જ કોઈ અત્યંત પવિત્ર મહાત્મા લાગે. અક્ષયરાજને થયું કે દીક્ષા લેવી હોય તો એમની પાસે જ લેવી. શ્રી કનકસૂરિ અને અક્ષયરાજ બંનેએ જાણે એકબીજાને મનોમન ઓળખી લીધા હોય એવું બન્યું. બંને એકબીજાના હૈયામાં વસી ગયા. એ વખતે અક્ષયરાજે દીક્ષા લેવા માટે સ્વ. ૫.પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૫૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy