SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ લેવું. તેમણે આહારસંજ્ઞા ઉપર સારો વિજય મેળવ્યો હતો. આહાર એ તો શરીરને આપવાનું માત્ર ભાડું છે એમ એમના સંયમી જીવનમાં જોવા મળતું. શ્રી કલાપૂર્ણસૂરિજી અનાવશ્યક લોકપરિચય વધારતા નહિ. તેમને વંદન કરવા માટે શ્રાવક-શ્રાવિકાઓની ભીડ હંમેશાં જામેલી રહેતી, પણ તેઓ ખપ પૂરતી વાત કરતા. “માળા ગણજો, સામાયિક કરજો' એવી ભલામણ કરતા. તેઓ પત્રવ્યવહાર ખાસ રાખતા નહિ. કોઈ ખાસ કારણ હોય તો પત્ર લખવાનું શિષ્યોને સોંપી દેતા. વિ.સં. ૨૦૩૯નું ચાતુર્માસ શ્રી કલાપૂર્ણસૂરિજીએ અમદાવાદમાં કર્યું હતું. એ વખતે અમદાવાદમાં શાન્તિનગરમાં સુવિશાલ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીનું ચાતુર્માસ હતું. એટલે પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી રોજ ગચ્છાધિપતિને વંદન કરવા જતા. ચાતુર્માસ દરમિયાન ગચ્છાધિપતિ બીમાર હતા ત્યારે પૂ. કલાપૂર્ણસૂરિજી રોજ સુખશાતા પૂછવા જતા અને સ્તવનો ગાઈને સંભળાવતા. ત્યારે તેઓ અત્યંત આ હૃદયે ગાતાં ગાતાં આનંદોલ્લાસમાં, ભાવોલ્લાસમાં આવી જતા. પ્રભુ સાથે એકરૂપ બની જતા. એટલે જ એક વખત પ.પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ કહેલું કે “તમારે પ્રભુભક્તિ જોઈતી હોય તો આચાર્ય કલાપૂર્ણસૂરિ પાસે જાવ.” વિ.સં. ૨૦૪૬માં શ્રી કલાપૂર્ણસૂરિજી ભુજમાં હતા અને એમના હાથે દીક્ષા અપાવાની હતી. એ પ્રસંગે વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો. લોકોની ભીડ જામી હતી. એવામાં એક ગાય ભડકી અને દોડવા લાગી. એથી લોકોમાં પણ દોડાદોડ થઈ ગઈ. એ વખતે પોતાનામાં જ મસ્ત એવા શ્રી કલાપૂર્ણસૂરિજીને ખબર પડી નહિ. પોતે આઘા ખસવા ગયા ત્યાં પડી ગયા અને થાપાના હાડકામાં ફેક્યર થયું. અસહ્ય પીડા થવા લાગી. તેમને ઉપાશ્રયે લઈ આવવામાં આવ્યા. દર ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy