SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ એ જમાનામાં અને તેમાં પણ ગુજરાત, રાજસ્થાનમાં બાળલગ્નો સ્વાભાવિક હતાં. અક્ષયરાજનાં લગ્ન સોળ વર્ષની વયે થયાં હતાં. એમનાં પત્નીનું નામ રતનબહેન. તેઓ અત્યંત વિનયી, સુશીલ અને ધર્મપ્રેમી હતાં. - લગ્ન પછી અક્ષયરાજને પ્રભુભક્તિની એવી લગની લાગી હતી કે મંદિરમાં સવારે પૂજામાં તેમનો ઘણો સમય પસાર થઈ જતો. વળી તેઓ સ્નાત્રપૂજા તથા બીજી મોટી પૂજાઓ ભણાવતા. તેમનો કંઠ મધુર હતો અને સ્તવનો સરસ ગાતા. એટલે સૌ કોઈ એમને જ ગાવાનું કહેતા. એમાં વળી એમણે હારમોનિયમ શીખી લીધું. આ રીતે દેરાસરના એમના કલાકો વધવા લાગ્યા. આથી આજીવિકા માટે તેઓ પૂરું ધ્યાન આપી શકતા નહિ. પરિણામે કમાણી ઓછી થઈ ગઈ. સ્થિતિ સામાન્ય બની ગઈ. એથી એક દિવસ માતાએ ટકોર કરી કે “બેટા, આમ ચાલ્યા કરશે તો આગળ જતાં કુટુંબનું ગુજરાન કેમ ચાલશે ?' માતાની આ ટકોર અક્ષયરાજને સચોટ લાગી ગઈ. કમાવા માટે કંઈક યોગ્ય ઉપાય કરવો જોઈએ એમ એમને સમજાયું. એવામાં ફલોદીના એક વેપારી શ્રી સંપતલાલ કે જેઓ મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રાજનંદગાંવમાં જઈને રહ્યા હતા અને ત્યાં વેપાર ચાલુ કર્યો હતો તેમને પોતાની દુકાનમાં એક યુવાન મદદનીશની જરૂર હતી. તેઓ અક્ષયરાજને ત્યાં લઈ ગયા. ત્યાં જૂના રિવાજ પ્રમાણે ઘર અને દુકાન એક જ મકાનમાં હતાં અને અક્ષયરાજને શેઠની સાથે એમના ઘરે જ રહેવા-જમવાનું હતું. અક્ષયરાજ ત્યાં નોકરી કરતા, પણ સાથે સાથે પૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે પોતાની નિત્ય ધાર્મિક ક્રિયાઓ ચૂકતા નહિ. દુકાનના કામકાજમાંથી એ માટે સમય કાઢવો પડતો. એથી મોડું-વહેલું થતું. એક દિવસ કામ એટલું બધું પહોંચ્યું કે રાતના બાર વાગી ગયા. પ્રતિક્રમણનો સમય તો ક્યારનો વીતી ગયો હતો એટલે પર ] Jain Education International - સાંપ્રત સહચિંતન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy