SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રાતના એક વાગે તેઓ સામાયિક કરવા બેઠા. શેઠ ઊંઘમાંથી વચ્ચે ઊઠ્યા. ત્યારે એ જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પછી તેમણે અક્ષયરાજને કારણ પૂછ્યું. દુકાનના કામકાજમાં પોતે પ્રતિક્રમણનો સમય ચૂકી ગયા એમ અક્ષયરાજે શેઠને જણાવ્યું. તે વખતે જ અક્ષયરાજની દઢ ધર્મશ્રદ્ધા જોઈને શેઠે કહ્યું, “કાલથી તમારે તમારા સમયે પ્રતિક્રમણ કરી લેવું. દુકાનનું ગમે તેટલું કામ હોય તો પણ પ્રતિક્રમણ ચૂકવું નહિ.” - અક્ષયરાજની ધર્મશ્રદ્ધા માટે અને ધર્માચરણ માટે શેઠશ્રી સંપતલાલને બહુ આદર હતો. - રાજનંદગાંવમાં થોડી બચત થતાં અક્ષયરાજે જુદું ઘર લીધું અને પોતાનાં પત્નીને બોલાવી લીધાં. ધંધાનો થોડો અનુભવ થયો એટલે એમણે પોતાનો સોનાચાંદીનો સ્વતંત્ર વેપાર ચાલુ કર્યો. પરંતુ એ ધંધામાં એટલી ફાવટ આવી નહિ અને કમાણી થઈ નહિ. એટલે સોનાચાંદીનો વેપાર છોડીને એમણે કાપડની દુકાન કરી. અક્ષયરાજનાં ધર્મપત્ની રતનબહેન પોતાની નિત્ય ધર્મકરણી ચૂકતાં નહિ. દેવદર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ ઇત્યાદિ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. એમના ધર્મપરાયણ જીવનથી અક્ષયરાજને પણ પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં હતાં. અક્ષયરાજ અને રતનબહેનને બે સંતાનો થયાં. મોટા પુત્રનું નામ જ્ઞાનચંદ અને નાના પુત્રનું નામ આપકરણ રાખ્યું હતું. દરમિયાન અક્ષયરાજે વતનમાં રહેતાં પોતાનાં વૃદ્ધ માતાપિતાને રાજનંદગાંવ બોલાવી લીધાં હતાં. પરંતુ વિ.સં. ૨૦૦૬માં ખમાબહેનનો અને વિ.સં. ૨૦૦૭માં પિતાશ્રી પાબુદાનભાઈનો સ્વર્ગવાસ થયો. આમ એક જ વર્ષના અંતરે માતાપિતા ચાલ્યાં જતાં અક્ષયરાજનું ચિત્ત સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy