SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નહોતી. મહારાજશ્રીની તેજસ્વી, પવિત્ર, વાત્સલ્યસભર મુખમુદ્રાનાં દર્શન કરવા માટે પણ લોકોનો ઘણો ધસારો રહેતો હતો. આમ પૂજ્ય મહારાજશ્રીને મળવાનું મારે ઘણી વાર થયું હતું, પરંતુ એમના સાન્નિધ્યનો જેટલો લાભ લેવો જોઈએ તે સંજોગવશાત્ હું લઈ શક્યો નહોતો. પ્રભુભક્તિ, જ્ઞાનચર્ચા અને ધ્યાનસાધના માટે એમની પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મળતું. પોતે રાજસ્થાનના વતની હતા, પણ યુવાન વયે કચ્છના વાગડ સમુદાયમાં દીક્ષિત થયા હતા અને ઠેઠ દક્ષિણ ભારત સુધી ઘણા પ્રદેશોમાં વિચર્યા હતા. કચ્છના વાંકી તીર્થ સહિત એમના હસ્તે ધર્મ-પ્રભાવનાનાં અનેક મોટાં કાર્યો થયાં હતાં. શ્રી કલાપૂર્ણસૂરિજીનો જન્મ વિ.સં. ૧૯૮૦ના વૈશાખ સુદ ૨ના દિવસે રાજસ્થાનમાં ફલોદી નગરમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ પાબુદાન લુક્કડ અને માતાનું નામ ખમાબાઈ હતું. એમનું જન્મનામ અક્ષયરાજ પાડવામાં આવ્યું હતું. અક્ષયરાજનું બાળજીવન ફલોદીમાં પસાર થયું હતું. એમનાં માતુશ્રી ધર્મપરાયણ હતાં. વળી એમના મામાને પણ ધર્મનો એવો જ રંગ લાગેલો હતો. તેઓ દેરાસરે જાય, ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જાય ત્યારે બાળ અક્ષયરાજને સાથે લઈ જતા. આથી બાળપણથી જ અક્ષયરાજમાં ધર્મના સંસ્કાર પડ્યા હતા. પાંચેક વર્ષની વયે અક્ષયરાજને ગામઠી શાળામાં ભણવા બેસાડ્યા હતા. અક્ષયરાજ શાળામાં તેજસ્વી વિદ્યાર્થી ગણાતા. તેઓ શાન્ત અને વિનયી હતા એથી શિક્ષકોના મન પર એમનો સારો પ્રભાવ પડ્યો હતો. ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં તેમને ગજસુકુમાલ, જંબૂકુમાર, ધન્ના, શાલિભદ્ર વગેરેની કથાઓ સાંભળવા મળતી અને તે એમને બહુ ગમતી. કથાઓ સાંભળતી વખતે એમના મનમાં એવા ભાવ થતા કે આવા મહાત્માઓ જેવા પોતે ક્યારે થઈ શકશે. સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ Jain Education International For Private & Personal Use Only [ ૫૧ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy