SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક, મૈત્રી વગેરે ભાવનાઓને જીવનમાં ચરિતાર્થ કરનાર પ.પૂ. પંન્યાસજી મહારાજશ્રી ભદ્રંકરવિજયજીના સાચા ઉત્તરાધિકારી થયા હતા. પ.પૂ.શ્રી પંન્યાસજી મહારાજનો આધ્યાત્મિક વારસો એમણે સાચવ્યો અને શોભાવ્યો છે. પ.પૂ. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ અને પ.પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ જેવી જોડી જવલ્લે જ જોવા મળે. જૈન શાસન ઉપર તેમનો ઉપકાર અસીમ રહ્યો છે. શ્રી કલાપૂર્ણવિજયજીને પહેલી વાર મેં જોયા હતા પાલીતાણામાં. ત્યારે પ.પૂ. શ્રી માનતુંગસૂરિજીની નિશ્રામાં આગમ વાચનાનો કાર્યક્રમ ચાલતો હતો. આચાર્ય મહારાજ પાટ પર બેઠા હતા અને નીચે બધાં સાધુ-સાધ્વીઓમાં અગ્રેસર હતા મુનિ શ્રી કલાપૂર્ણવિજય. હું અને મારાં પત્ની એ વાચનામાં બેઠાં હતાં તે વખતે ' જોયું હતું કે બંને મહાત્માઓ એક એક શબ્દની છણાવટ કેટલી બધી ઝીણવટપૂર્વક કરતા હતા. સમર્થ જ્ઞાની મહાત્માઓ બેઠા હોય અને વાચનાનું કાર્ય ચાલતું હોય ત્યારે ઝટ પૂરું કરવાની ઉતાવળ ન હોય, પણ સૂક્ષ્માર્થના ઊંડાણમાં જવાની અને તત્ત્વનું યથાર્થ મહત્ત્વ સમજવાની - અખૂટ ધીરજ હોય. મારા વડીલ મિત્ર પંડિત શ્રી પનાલાલભાઈ ગાંધીને આચાર્યશ્રી કેટલીક વાર ચાતુર્માસ દરમિયાન સાધુ-સાધ્વીઓને સ્વાધ્યાય કરાવવા અથવા જ્ઞાનચર્ચા માટે બોલાવતા. એક વખત મહારાજશ્રીનું શંખેશ્વરમાં ચાતુર્માસ હતું ત્યારે મારે પનાલાલભાઈ સાથે જવાનું થયું હતું. ત્યારે મહારાજશ્રી પાસે આટલી ભીડ રહેતી નહિ, નિરાંતે બેસવા મળતું અને સારી જ્ઞાનગોષ્ઠી થતી. છેલ્લે પાલીતાણામાં જ્યારે મહારાજશ્રીનું ચાતુર્માસ હતું ત્યારે મહારાજશ્રીને વંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પરંતુ એ દિવસોમાં એટલી બધી ભીડ રહેતી હતી કે નિરાંતે વાત થઈ શકી ૫૦ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy