SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ વર્તમાન સમગ્ર જૈન શાસનના સર્વોચ્ચ મહાત્માઓમાં જેમને અચૂક સ્થાન આપી શકાય એવા અધ્યાત્મયોગી, પ્રશાન્તમૂર્તિ, ગીતાર્થ આચાર્ય ભગવંત શ્રી વિજયકલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ રાજસ્થાનમાં લોદીમાં ચાતુર્માસ કરીને ગુજરાત-શંખેશ્વર તીર્થ તરફ પધારી રહ્યા હતા ત્યારે વિહારમાં જ ઝાલોર પાસે ૭૮ વર્ષની વયે કાળધર્મ પામ્યા. એમના પાર્થિવ દેહને શંખેશ્વર તીર્થની પવિત્ર ભૂમિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વ. આચાર્ય ભગવંતે વિ.સં. ૨૦૧૦માં દીક્ષા લીધી હતી અને વિ.સં. ૨૦૫૮માં તેઓ કાળધર્મ પામ્યા. આ સાડા ચાર દાયકાથી અધિક સમયની એમની સંયમયાત્રામાં એમના હસ્તે સ્વપરકલ્યાણની અનેક ઉત્તમ પ્રવૃત્તિઓ થઈ છે. એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું એટલું જ નહિ, પોતાના પરિવારના સભ્યોને પણ સંયમના માર્ગે આરોહણ કરાવ્યું અને બીજા અનેક જીવોને પણ વ્રત-સંયમનું દાન આપીને મોક્ષમાર્ગની પ્રેરણા આપી હતી. એમને હાથે કેટલી બધી દીક્ષાઓ થઈ હતી ! કચ્છ વાગડ સમુદાયનાં અઢીસોથી અધિક સાધુસાધ્વીઓના તેઓ નાયક બન્યા હતા. સ્વ.પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ, નવકારમંત્રના અનન્ય સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ Jain Education International For Private & Personal Use Only [ ૪૯ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy