SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. માનભાઈ ભટ્ટ ભાવનગરની સુપ્રસિદ્ધ સંસ્થા “શિશુવિહાર'ના સ્વપ્નદ્રષ્ટા, સર્જક અને સંવર્ધક શ્રી માનશંકરભાઈ ભટ્ટનું તા. ૨-૧-૨૦૦૧ના રોજ ૯૪ વર્ષની વયે અવસાન થતાં આપણને આપબળે આગળ વધેલા, લોકોના સંસ્કારજીવનનું ઘડતર કરનાર એક સમર્થ જીવનવીરની ખોટ પડી છે. ફાજલ માનવશક્તિનો ઉપયોગ કરી કશુંક સામૂહિક રચનાત્મક કાર્ય કેવી રીતે કરી શકાય એની આગવી સૂઝ, વિચારશક્તિ, ધગશ અને તમન્ના સાથે પરિણામલક્ષી વ્યવસ્થિત કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરવાની અનોખી આવડતને લીધે માનભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન ભાવનગરમાં લોકસેવાની સરિતા અવિરત વહેતી કરી છે. માનભાઈ છ દાયકાથી અધિક સમય પોતાનાં અને સાથીદારોનાં સક્રિય સેવાકાર્યથી ભાવનગરના જનજીવન ઉપર છવાઈ ગયા હતા. એમાં એમને એમના નાના ભાઈ પ્રેમશંકરભાઈનો તથા પોતાનાં સ્વજનો અને મિત્રોનો પણ પ્રશસ્ય સહકાર સાંપડ્યો હતો. એમણે આરંભેલી “શિશુવિહારની પ્રવૃત્તિમાં તે સમયે બાળક તરીકે જોડાનારનાં સંતાનોનાં સંતાનો અત્યારે શિશુવિહારમાં ખેલી રહ્યાં છે. ત્રણ પેઢીના સંસ્કારઘડતરનું અનોખું કાર્ય કરવાનો યશ માનભાઈના ફાળે જાય છે. પદ, પ્રતિષ્ઠા કે માન-સન્માનથી દૂર રહેનાર, એક સામાન્ય નાગરિકની જેમ સાદું, નિર્મળ અને નિર્ભય જીવન જીવવામાં માનનાર માનભાઈ સ્વ. માનભાઈ ભટ્ટ [ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy