SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પછી પણ એમણે કેટલાંક ચાતુર્માસ આ તીર્થભૂમિમાં કર્યાં. ત્યારથી આ તીર્થક્ષેત્ર વધુ વિકાસ પામ્યું છે. અહીં વિવિધ પ્રકારનાં નિર્માણકાર્યો થયાં છે અને ‘બડે બાબા'નું નૂતન ભવ્ય જિનાલય બાંધવાની યોજના પણ ચાલુ થઈ ગઈ છે. આચાર્ય શ્રી વિદ્યાસાગરજીના એક શિષ્ય મુનિશ્રી ઉત્તમસાગરજી મહારાજે બડે બાબાના ચાલીસા, અષ્ટપ્રહારી પૂજા, પંચકલ્યાણક પૂજા આરતી, જયમાલા વગેરેની રચના કરી છે. આ તીર્થનાં બધાં જ મંદિરોનાં દર્શન કરવા જેટલો સમય અમારી પાસે નહોતો. અલબત્ત, તળેટીમાં આવેલાં બધાં જ મંદિરોમાં જઈને અમે દર્શન કર્યાં. કેટલાંક મંદિરો નાનાં નાનાં છે. પહાડ ઉપર જતાં-આવતાં વચ્ચે આવેલાં કેટલાંક મંદિરો બપોરનો સમય હોવાથી બંધ હતાં. એટલે ત્યાં દર્શન થયાં નહિ, અલબત્ત, એક બડે બાબાનાં દર્શન કર્યાં એટલે બધું જ આવી ગયું. તીર્થસંકુલની બહાર એક જૈન ભોજનાલયમાં ભોજન કરી અમે જબલપુર પાછા જવા નીકળ્યા. તડકો નીકળ્યો હતો, પણ વાતાવરણમાં ઠંડક હતી. સડક સાધારણ સારી હોવાને લીધે અડધો રસ્તો તો સારી રીતે કપાઈ ગયો. પછીથી ખાડાવાળો રસ્તો ચાલુ થયો. વાહનની ગતિ મંદ પડી. પણ હવે ઘરે જ પહોંચવાનું હતું એટલે મોટું-વહેલું થવાની ચિંતા નહોતી. અમે વેળાસ૨ જબલપુર પહોંચી ગયા. જે તીર્થયાત્રા માટે સંજોગો નહિવત્ હતા તે તીર્થયાત્રા આનંદોલ્લાસ સાથે સંપન્ન થઈ એમાં જાણે બડે બાબાના હુકમે કામ કર્યું હોય એવી કૃતજ્ઞતાની લાગણી અમે અનુભવી. બડે બાબાનાં દર્શન એ અમારા માટે જીવનનું એક સંભારણું બની ગયું. **** ૧૨ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy