SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મધમાખીઓ ઊડી અને ઔરંગઝેબને તથા એના સૈનિકોને ડંખ દેવા લાગી. બધા ચીસાચીસ કરતા દોડવા લાગ્યા. સૈનિકો સહિત ઔરંગઝેબ ભાગી ગયો. એને થયું કે આ મૂર્તિનું ખંડન કરવાનું જોખમ વહોરવા જેવું નથી. એટલે મૂર્તિ અખંડિત રહી ગઈ.. બડે બાબાનો ચમત્કારિક મહિમા છે. અનેક લોકોને એવા અનુભવો થયા છે. મંદિરમાં દર્શન કરી અમે આસપાસ ફર્યા. પહાડ ઉપરથી નીચે વિહંગાવલોકન કરવાથી સમગ્ર તીર્થક્ષેત્રનો વધુ સરસ ખ્યાલ આવે છે. પર્વત કુંડલાકાર છે અને નીચે જળાશય છે એથી એની રમણીયતાનો વાસ્તવિક અનુભવ થાય છે. પહાડ ઉપર આવીએ ત્યારે જ સમજાય છે કે ઉપરથી નિહાળ્યા વગર તીર્થદર્શન અધૂરું રહે છે. કુંડલપુરમાં પહાડ ઉપર બડે બાબાના મુખ્ય મંદિર સહિત છૂટાંછવાયાં નાનાં-મોટાં કુલ ત્રેસઠ મંદિરો છે. આ ઉપરાંત ત્યાં ગુપ્તકાલીન અંબિકા મઠ, રુકિમણી મઠ વગેરે છે. ઘટાદાર વૃક્ષો અને વનરાજિવાળો આ હરિયાળો પહાડ શ્વેત રંગનાં મંદિરોને લીધે અનોખું સૌન્દર્ય ધારણ કરે છે. વળી તળેટીમાં આવેલાં કેટલાંક મંદિરોનું વર્ધમાનસાગરમાં જે સુરેખ પ્રતિબિંબ પડે છે તે એક એવી અનોખી લાક્ષણિકતા ધારણ કરે છે કે જાણકાર માણસો એ દશ્ય જોતાં જ કહી આપે કે, આ કુંડલગિરિનું દૃશ્ય છે. એવી જ રીતે “બડે બાબાની પ્રતિમા પણ અદ્વિતીય અવિસ્મરણીય છે. એ જોતાં જ મન કહી આપે કે આ કુંડલગિરિના બડે બાબા' છે. છેલ્લાં કેટલાંક વર્ષથી કુંડલપુર-કુંડલગિરિ તીર્થ વધુ પ્રકાશમાં આવ્યું છે. વીસમી સદીના મહાન દિગંબર આચાર્ય, ચારિત્ર ચક્રવર્તી શ્રી શાન્તિસાગરજી મહારાજની પરંપરામાં થયેલા આચાર્ય શ્રી જ્ઞાનસાગરજીના પટ્ટશિષ્ય વર્તમાન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે ઈ.સ. ૧૯૭૬માં આ કુંડલગિરિમાં પ્રથમ ચાતુર્માસ કર્યું અને ત્યાર બડે બાબા [ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy