SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રદેશના મહારાજા છત્રસાલનો હીરાની ખાણ માટે પ્રખ્યાત એવો પન્નાનો પ્રદેશ દુશ્મન રાજવીએ પડાવી લીધો હતો. એથી છત્રસાલ બહુ ખિન્ન અને ઉદાસીન રહેતા હતા. એવામાં આ બડે બાબાની મૂર્તિ ચમત્કારી છે એવી વાત એમના કાને આવી. તેમણે અહીં આવી ઋષભદેવ ભગવાનનાં દર્શન કર્યા. તેઓ પ્રતિમાથી પ્રભાવિત થઈ ગયા. એમણે તે જ વખતે માનતા માની કે જો પોતાનો પત્રાનો પ્રદેશ પાછો જીતવા મળે તો પોતે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવશે. પછી તો જાણે ચમત્કાર જ થયો હોય તેમ બહુ થોડા સમયમાં જ છત્રસાલ રાજાએ પત્રાનો પોતાનો પ્રદેશ પાછો જીતી લીધો. આથી એમની શ્રદ્ધા એકદમ વધી ગઈ. પોતાની માનતા પૂરી કરવા માટે એમણે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિષ્ઠા પ્રસંગે મહારાજા છત્રસાલ પોતે કુંડલપુર પધાર્યા હતા. એમણે મંદિર માટે પિત્તળનો બે મણ વજનનો ઘંટ કરાવી આપ્યો. વળી છત્ર, ચામર તથા અન્ય ઉપકરણો સોના-ચાંદીનાં કરાવીને ભેટ આપ્યાં. તદુપરાંત એમણે ડુંગર પર ચડવા માટે પથ્થરનાં પગથિયાં બંધાવી આપ્યાં અને નીચે જે સુંદર તળાવ છે, તેમાં બારે માસ નિર્મળ નીર રહે એ માટે એને ફરતી પથ્થરની પાકી મોટી, કલાત્મક પાળી બંધાવી આપી અને એનું “વર્ધમાન સાગર' નામ રાખવામાં આવ્યું. આથી મંદિરની રમણીયતા અત્યંત વધી ગઈ. અત્યારે જે સ્વરૂપે આ તીર્થ દેખાય છે તેનો યશ ત્રણસો વર્ષ પહેલાં થઈ ગયેલા છત્રસાલ રાજાને જાય છે. મંદિરના શિલાલેખમાં આ ઘટનાનો નિર્દેશ છે. ત્યારથી દર વર્ષે મહા મહિનામાં અને દિવાળીમાં અહીં મેળો ભરાય છે અને ઉત્સવ થાય છે. જે મંદિરમાં અને એના ભગવાનમાં રાજાને શ્રદ્ધા હોય તેમાં આમપ્રજાને પણ હોય એ સ્વાભાવિક છે. એટલે જ બડે બાબા સૌના દેવ છે. બધી કોમના લોકો અહીં દર્શન કરવા આવે છે અને શ્રદ્ધાપૂર્વક માનતા માને છે. બડે બાબાની પ્રતિમા કેટલી પ્રાચીન છે એ વિશે કોઈ સાંપ્રત સહચિંતન ૮ ]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy