SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અમે મંદિરમાં બેસી ભાવપૂર્વક ચૈત્યવંદન કર્યું. ત્યાર પછી ફરી એક વાર મૂળ નાયક અને અન્ય પ્રતિમાઓનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. | દર્શન-ચૈત્યવંદન કરી અમે બહાર નીકળ્યા. આ મંદિરમાં બહારના ભાગમાં સંસ્કૃતમાં એક શિલાલેખ છે. તે મુજબ વિ.સં. ૧૭૫૭માં, એટલે આજથી બરાબર ત્રણસો વર્ષ પૂર્વે, મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મળતી માહિતી પ્રમાણે એ દિવસોમાં મંદિર નષ્ટપ્રાયઃ થઈ ગયું હતું, ભગ્નાવશેષ મંદિરની અંદર પ્રતિમાજી અખંડિત રહ્યાં હતાં. દર્શનપૂજા બંધ થઈ ગયાં હતાં. જૈનોની વસતિ રહી નહોતી. એ દિવસોમાં દિગંબર આચાર્ય ૧૦૮ શ્રી સુરેન્દ્રકીર્તિ પોતાના શિષ્યો સાથે આ વિસ્તારમાં વિચરતા હતા. તે વખતે આચાર્યશ્રીએ એવો અભિગ્રહ ધારણ કરેલો હતો કે ક્યાંક જિનપ્રતિમાનાં દર્શન કરીને પછી આહાર લેવો. પણ આ વિસ્તારમાં જેમને જિનપ્રતિમાનાં દર્શન કરવા મળ્યાં નહિ, એટલે ઉપવાસ ઉપર ઉપવાસ થતા જતા હતા. એમ વિચરતાં વિચરતાં તેઓ હિન્ડોરિયા ગામે પધાર્યા ત્યારે, ગ્રામલોકોએ કહ્યું કે થોડે દૂર પહાડ ઉપર ખંડિયેરમાં જિનપ્રતિમા છે. તેઓ પહાડ ઉપર પહોંચ્યા. ત્યાં આસપાસના પથરાઓ ખસેડ્યા અને ભગ્નાવશેષ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા ત્યારે આદિનાથ ભગવાનની ભવ્ય વિશાળ પ્રતિમા એમણે નિહાળી. તેઓ ગદ્દગદ થઈ ગયા. તેમનો અભિગ્રહ પૂરો થયો. એમણે તે ક્ષણે જ આ પ્રતિમાની ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરાવવાનો દઢ સંકલ્પ કર્યો. એ માટે શ્રેષ્ઠીઓને અને રાજાને વાત કરી. ડુંગર પર હોવાથી કાર્ય ઘણું જ વિકટ હતું અને ખર્ચાળ હતું. પરંતુ એમના શિષ્ય મુનિ સુચન્દ્રકીર્તિ અને બ્રહ્મચારી નેમિસાગરજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લીધી અને વખત જતાં કાર્ય પૂર્ણ કર્યું. મંદિરનો જીર્ણોદ્ધાર થયો તેમાં એક મહત્ત્વની ઘટના બની. - બડે બાબા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy