SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ રચના કરવામાં આવી છે. એમાં મસ્તક ઉપર છત્ર છે અને બંને બાજુ દેવદેવી છે. આ પ્રતિમાજીના બંને કાન લાંબા અને ખભાને અડેલા છે. (શિલ્પની દષ્ટિએ એ જરૂરી પણ છે.) બંને કાનની પાસે વાળની લટ છે, જે જોઈ શકાય છે. ભારતમાં પહાડમાંથી કંડારેલી પદ્માસનસ્થ જૈન પ્રતિમાઓમાં આ સૌથી મોટી છે. જટા અથવા વાળની લટ તથા નીચે ગૌમુખ અને ચક્રેશ્વરી દેવીની આકૃતિ ઉપરથી આ ઋષભદેવ ભગવાનની પ્રતિમા છે એ સુનિશ્ચિત છે. આ પ્રતિમાની બંને બાજુ ખગાસનમાં પાર્શ્વનાથ ભગવાનની, સર્પની ફણા સાથે સાડા અગિયાર ફૂટ ઊંચી એક એક દિગંબર પ્રતિમા છે. જે રીતે અહીં પર્વતના પથ્થરમાંથી પ્રતિમા કંડારેલી છે તે જોતાં ભૂતકાળમાં આ કોઈ ગુફામંદિર હશે એવો સંભવ છે. ગર્ભગૃહની દીવાલોમાં ભિન્ન ભિન્ન નાની નાની પ્રતિમાઓ જે કંડારેલી છે, તે એની નીચેના લાંછન પરથી ઓળખી શકાય છે. આ પ્રતિમા ઋષભદેવ ભગવાનની છે એ નિર્વિવાદ છે. પરંતુ મહાવીર સ્વામીની પ્રતિમાજી તરીકે પણ એ પૂજાતી આવી છે. જૂના વખતથી સામાન્ય માણસો મહાવીર સ્વામી તરીકે જ એને પૂજતા આવ્યા છે. અહીં નગરનું નામ કુંડલપુર છે અને મહાવીર સ્વામીનું જન્મસ્થાન કુંડલપુર હતું એટલે નામ-સામ્યને કારણે કદાચ એમ બન્યું હશે ? મૂળ નાયકની બંને બાજુ પાર્શ્વનાથ ભગવાન છે, એટલે વચ્ચે મહાવીર સ્વામી જ હોવા જોઈએ એવો ખ્યાલ પણ હશે. એ જે હોય તે, પણ એટલું નિશ્ચિત છે કે છેલ્લા ત્રણેક સૈકાથી લોકોમાં એ મહાવીર સ્વામી તરીકે પૂજાતા આવ્યા છે. સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy