SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અભય જૈન ગ્રંથાલય, જિનદત્તસૂરિ સેવાસંઘ, ખરતરગચ્છ મહાસંઘ, રાજસ્થાની સાહિત્ય પરિષદ, દેવચંદ્ર ગ્રંથમાલા, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (હંપી), શાર્દૂલ રાજસ્થાન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરે ઘણી સંસ્થાઓમાં તેમણે હોદેદાર તરીકે સેવા આપી હતી. | શ્રી નાહટાજી રાજસ્થાન છોડી બંગાળમાં વેપારાર્થે કલકત્તામાં જઈને વસ્યા, પરંતુ એમણે પોતાનો પહેરવેશ, પોતાની ભાષા અને પોતાના ધાર્મિક તથા સામાજિક સંસ્કાર ન છોડ્યાં. એમના પરિવારમાં એ જ રાજસ્થાનનું વાતાવરણ જોવા મળે. શ્રી નાહટાજીની લેખનપ્રસાદી અનેક સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહેતી એથી તેઓ ઘણા બધા વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. એ સમયના ધુરંધર વિદ્વાનો શ્રી રાહુલ સાંકૃત્યાયન, ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદી, ડૉ. મોતીચંદ્ર, મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, પૂરણચંદ નાહર, મોહનલાલ દલીચંદ દેસાઈ, દલસુખભાઈ માલવણિયા વગેરે સાથે તેઓ અંગત ગાઢ પરિચયમાં આવ્યા હતા. શ્રી ભંવરલાલજી નાહટાનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભિન્નભિન્ન સમયે અભિવાદન થયું હતું અને “સાહિત્ય વાચસ્પતિ', “જિન શાસન ગૌરવ”, “જૈન સમાજરત્ન' વગેરે પદવીઓ વડે તેઓ સન્માનિત થયા હતા. પંચાસી વર્ષની ઉંમર સુધી નાહટાજી વિવિધ કાર્યક્રમો માટે, તીર્થયાત્રા માટે પરિભ્રમણ કરતા રહ્યા હતા. એમનું શરીર એવું નિરામય, સશક્ત, સ્કૂર્તિમય હતું. ૧૯૯૭માં તેઓ પોતાના વતન બીકાનેર ગયા હતા કારણ કે પ.પૂ. આચાર્ય શ્રી તુલસીજી અને પ.પૂ.સાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજીનો બીકાનેરમાં પ્રવેશ હતો. બીકાનેરના આ રોકાણ દરમિયાન એક દિવસ નાહટાજી દેરાસરમાં દર્શન કરવા જતા હતા ત્યારે પડી ગયા. પગે ફ્રેકચર થયું. ઉપચાર કરાવી તેઓ લ૯ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy