SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગવાસ પછી મધ્યકાલીન જૈન સાહિત્યના ક્ષેત્રમાં પૂછવા જેવું સ્થળ તે શ્રી ભંવરલાલજી હતા. એટલે એમની સાથેનો પરિચય ગાઢ થતો ગયો હતો. એમની પાસે પિતાતુલ્ય વાત્સલ્ય અનુભવવા મળતું. તેઓ મુંબઈ આવે ત્યારે મારે ઘરે શ્રી રૂપચંદજી ભણશાળી સાથે અચૂક પધારતા અને મારે કલકત્તા જવાનું થાય ત્યારે સૌથી પહેલાં એમને ઘરે કે દુકાને મળવા જવાનું થતું. અમે મળીએ એટલે પરસ્પર જૈન સાહિત્યની ગોષ્ઠી થાય. શું નવું લખ્યું, શું નવું વાંચ્યું એની વાતો થાય. શ્રી અગરચંદજી સાથે “મૃગાવતી ચરિત્ર ચૌપાઈ'નું સંપાદન મેં કર્યું ત્યારે એમાં શ્રી ભંવરલાલજીની મુખ્ય સહાય હતી. ત્યાર પછી શ્રી ભંવરલાલજી સાથે થાવગ્યાસુત રિષિ ચોપાઈ'નું સંપાદન મેં કર્યું હતું. ખંભાત, રાજગૃહી, સમેતશિખર વગેરે સ્થળે જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે કે જૈન ઇતિહાસ સંમેલન નિમિત્તે નાહટાજીને નિરાંતે મળવાનું થયું હતું. એક જ સ્થળે સાથે રહેવાનું હોય એટલે સાહિત્યગોષ્ઠી બરાબર જામતી. બીજા વિદ્વાનો અને સાહિત્યરસિક મિત્રો પણ જોડાયા હોય. એ વખતે શ્રી નાહટાજી પાસેથી એમના વિશાળ વાંચન અને અનુભવની ઘણી રસિક વાતો સાંભળવા મળતી. તેઓ એક બહુશ્રુત પંડિત છે એની સર્વને પ્રતીતિ થતી. - ભંવરલાલજી અચ્છા કવિ પણ હતા. તેમણે નાનીમોટી વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. “ક્ષણિકા'માં થોડાક શબ્દોમાં નર્મમર્મયુક્ત કથન એમણે કર્યું છે. તેઓ શીઘ્રકવિ પણ હતા. પ્રસંગ કે પરિસ્થિતિ અનુસાર તેઓ તરત કાવ્યપંક્તિઓની રચના કરતા. કેટલીક પંક્તિઓ સ્વયમેવ એમને હુરતી. શ્રી નાહટાજીની સેવાઓ બીકાનેર, કલકત્તા, પાલીતાણા, દિલ્હી વગેરે સ્થળોની વિવિધ સંસ્થાઓને વિવિધ પ્રકારે મળતી રહી હતી. ધર્મ અને સાહિત્યના ક્ષેત્રે તેઓ જૈન ભવન, જૈન શ્વેતામ્બર સેવા સમિતિ, જૈન જે.પંચાયતી મંદિર, શંકરદાન નાહટા કલાભવન, સ્વ. ભંવરલાલજી નાહટા [ ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy