SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ એવું નવું નામ રાખ્યું હતું. આથી નાહટા પરિવાર માટે કંપી તીર્થસમાન બની ગયું હતું. શ્રી ભંવરલાલજી ત્યાં નિયમિત જતા. પૂ. શ્રી ભદ્રમુનિનાં સંસારી કાકી શ્રી ધનદેવીજી પણ હંપી આવીને રહ્યાં હતાં. શ્રી ભંવરલાલજીએ ‘સિરિ સહજાનંદઘન ચરિય' નામનું ચરિત્ર અપભ્રંશમાં લખ્યું હતું અને ‘આત્મદ્રષ્ટા માતુશ્રી ધનદેવીજી' નામનું ચરિત્ર હિંદીમાં લખ્યું હતું. તદુપરાંત એમણે આત્મસિદ્ધિશાસ્ત્રનો બંગાળી ભાષામાં પદ્યમાં અનુવાદ કર્યો હતો. શ્રી ભંવરલાલજીનો અવાજ બુલંદ હતો. તેમને કેટલાંયે સ્તવનસઝાય કંઠસ્થ હતાં. વળી શાસ્રગ્રંથોના કેટલાયે શ્લોકો તેઓ વાતચીતમાં ટાંકતા. જૈન-જૈનેતર સાહિત્યની હજારો પંક્તિઓ એમની જીભે વસી હતી. સરસ્વતી માતાની એમના ઉપર મોટી કૃપા હતી. ભંવરલાલજીના હસ્તાક્ષર સુંદર અને મરોડદાર હતા. કોઈ હસ્તપ્રત ઉપરથી પ્રતિલિપિ કરવી હોય તો એવી સ્વચ્છ અક્ષરે લખે કે ક્યાંય છેકછાક જોવા ન મળે. ઝીણા પણ સુંદર, સુવાચ્ય, મરોડદાર અક્ષર પણ તેઓ કાઢી શકે. એક જ પોસ્ટકાર્ડમાં ઝીણા અક્ષરે ઘણી બધી વિગતો એમણે લખી હોય. એમણે ‘ભક્તામર સ્તોત્ર’નો ગૂર્જર અનુવાદ કર્યો હતો અને તે એમણે ફૂલસ્કેપથી પણ નાના એક જ પાનામાં સુંદર અક્ષરે ઉતાર્યો હતો. એમની આવી કૃતિઓ સંગ્રહાલયમાં સાચવી લેવા જેવી છે. મારે પહેલો પરિચય શ્રી અગરચંદજી નાહટા સાથે ૧૯૫૬ની આસપાસ થયેલો. એ અરસામાં નળદમયંતી વિશે રાસકૃતિઓની હસ્તપ્રતોની જાણકારી મેળવવા માટે પત્રવ્યવહાર થયેલો. ત્યારપછી બીકાનેર એમને ઘેર જઈને રહેલો. એ પરિચય ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો અને તે એમના સ્વર્ગવાસ સુધી રહેલો. એ વર્ષો દરમિયાન શ્રી ભંવરલાલજીને મળવાનું થયું હતું, પરંતુ શ્રી અગરચંદજીના ૯૪ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy