SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પૂ. શ્રી કયાલાલજી મહારાજ બિરાજમાન હતા. તેઓ કહેયાલાલજી મહારાજ કરતાં ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં, જ્ઞાનસાધનામાં નાના હતા. તો પણ ઓપરેશન વખતે મહારાજશ્રીએ કેવળદાસજી મહારાજને કહ્યું કે “મને સાગારી સંથારાનાં પચ્ચખાણ આપો”. એથી કેવળદાસજી મહારાજને આશ્ચર્ય થયું. એમણો કહ્યું “તમે જ્ઞાની છો. મોટા છો. જાતે જ પચ્ચખાણ લઈ શકો એમ છો.” તો પણ પૂ. કયાલાલજી મહારાજે આગ્રહ રાખ્યો અને શ્રી કેવળદાસજી મહારાજ પાસે પચ્ચખ્ખાણા લીધા. ૧૯૭૯-૧૯૮૦માં મુંબઈના બે ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીને બે તેજસ્વી સાધ્વીજીઓનો પરિચય થયો. એ બે તે શ્રી મુક્તિપ્રભાશ્રીજી અને શ્રી દિવ્યપ્રભાશ્રીજી. એ બંનેને એમના પીએચ.ડી.ના વિષયો-(૧) જૈન યોગ અને (૨) અરિહંતમાં મહારાજશ્રીએ ઘણું સારું માર્ગદર્શન આપ્યું અને બંનેને પીએચ.ડી.ની ડિગ્રી મળી. ત્યારથી આ બંને મહાસતીજીઓએ પોતાની શિષ્યાઓ સાથે આબુમાં કેટલાંક વર્ષ રહીને મહારાજશ્રીને એમના અનુયોગના કાર્યમાં ઘણી મદદ કરી હતી. શ્રી મુક્તિપ્રભાશ્રીજી તો મહારાજશ્રીના અંતકાળ વખતે પણ પાસેજ હતાં. મહારાજશ્રીએ ઘી-તેલ, સાકર, મીઠું, દ્વિદળ વગેરેનો ત્યાગ કર્યો હતો. મહારાજશ્રીએ ઘી ખાવાનું છોડી દીધું એ વિગઈ છે એટલા માટે જ માત્ર નહિ, પણ શુદ્ધ ઘી વિશે શંકા જતાં એ કાયમનું છોડી દીધું. એ વિશે એમણો પોતે જ કહ્યું છે કે એક વખત તેઓ આગરામાં પૂ. કવિ શ્રી અમરમુનિ સાથે હતા. એક દિવસ તેઓ રસ્તામાં જતા હતા ત્યારે એક સરદારજી એક હૃષ્ટપુષ્ટ ડુક્કરને પકડીને ખેંચી જતા હતા. ડુક્કરની જવાની મરજી નહોતી એટલે ચીસાચીસ કરતું હતું. મહારાજશ્રીએ દયાભાવથી સરદારજીને તેમ ન કરવા કહ્યું અને કારણ પૂછ્યું તો સરદારજીએ કહ્યું કે પોતે ડુક્કરને મારીને એની ચરબી કાઢવા માગે છે. ચરબીની શી જરૂર છે એવો પ્રશ્ન થતાં સરદારજીએ કહ્યું કે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy