SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ અપરિચિત નહોતું. પોતાના યુવાનના દિવસોમાં તેઓ ત્યાં અનાજની ખરીદી માટે ગયા હતા. ચક્કી દાદરીની બાજરી ત્યારે વખણાતી. ચક્કી દાદરીની મુલાકાતને યાદ કરતાં એમણે કહ્યું હતું કે પોતે ત્યાંથી વતન પાદરાની દુકાને જે તાર કર્યો હતો તે પ્રાસયુક્ત હતો: Buying Bajri from Chakki Dadri. બાપુજીની પ્રકૃતિ હંમેશાં ગુણગ્રાહી હતી. તેઓ વારંવાર શિખામણ આપતા કે ઉપકારીનો ઉપકાર કદી ન ભૂલવો. કોઈની નિંદા કરવી નહિ. વાદવિવાદ થાય એવી વાતમાં પડવું નહિ. તેમના મુખેથી ક્યારેય કોઈની નિંદા થતી નહિ. તેઓ પોતાના ઉપર ઉપકાર કરનાર, એમની કોઈના દીકરા ભાઈ ચંદુભાઈ દલાલને, એમનો દમનો રોગ કાયમનો મટાડનાર પારસી દાક્તર દારૂવાલાને તથા પોતાને નોકરી અપાવનાર પડોશી ચીમનભાઈને હંમેશાં યાદ કરતા. બાપુજીનો પહેલેથી એવો નિયમ હતો કે કોઈને પણ એકવચનમાં “તું' કહીને બોલાવવા નહિ. નોકર-ચાકરને પણ નહિ. પોતાના બધા દીકરાઓને તો “ભાઈ” શબ્દ લગાડીને માનથી બોલાવતા, એટલું જ નહિ પૌત્ર અને પ્રપૌત્રને પણ માનથી બોલાવતા. મારા પુત્ર અમિતાભને તેઓ હંમેશા “હીરાભાઈ' કહીને બોલાવતા. અમિતાભ પણ અમેરિકાથી બાપુજીને ફોન કરે તો “હીરાભાઈ સ્પીકિંગ...” એમ જ કહે. બાપુજી નાનાં બાળકો સાથે પણ હસીને વાત કરે. પોતાની પાસે કાયમ દ્રાક્ષ અને પીપરમિન્ટ રાખે. એટલે એ લેવા છોકરાઓ આવે. બાપુજીને જૂના જમાનાની કહેવતો ઘણી આવડતી. શબ્દરમત દ્વારા ગમ્મત કરવાનું પણ સારું ફાવતું. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળે તો પોતે કહે કે “તમે તો કૉલેજમાં ભણીને સી. એ. થયા, પણ હું તો જન્મથી સી. એ. છું.” પછી સ્પષ્ટ કરતાં કે પોતે ચીમનલાલ અમૃતલાલ એટલે સી. એ. છે. કોઈ વાર કહેતા કે “તમે હવે ટી.વી. જુઓ છો. હું તો Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy