SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાશ્રીની ચિરવિદાય - - યુવાનીના આરંભમાં પંદરેક વર્ષ એમણે નિયમિત ટપાલો લખી હતી. તેઓ કહેતા કે ઘણુંખરું પોસ્ટકાર્ડ લખવાનો જ રિવાજ હતો અને એક પૈસાની ટિકીટવાળું પોસ્ટકાર્ડ ઠેઠ પેશાવર, રંગૂન કે કોલંબો સુધી જતું. ત્યારે બ્રિટીશ હકુમત હતી અને બર્મા અને શ્રીલંકા ભારતના એક ભાગરૂપ હતાં. રોજેરોજ ટપાલ લખવાને કારણે સેંકડો આડતિયાઓનાં નામ-સરનામાં એમને મોઢે હતાં અને મોટા ભાગના આડતિયાઓને ત્યાં પોતે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં જઈ આવેલા. એટલે જીવનના અંત સુધી કોઈપણ ગામનું નામ આવે એટલે ત્યાંના આડતિયાઓનાં અને મોટા વેપારીઓનાં નામ તેઓ તરત યાદ કરી આપે. વળી ગામે ગામ રેલવે દ્વારા અનાજ મોકલાતું હોય અને આવતું હોય. એટલે પાદરાના રેલવે સ્ટેશને રોજનો એક આંટો હોય જ. રેલવેમાં દરેક સ્ટેશનનાં ત્રણ અક્ષરનાં મિતાક્ષરી નામ હોય. પારસલમાં એ લખવાં પડતાં. એ માટે રેલવેની છાપેલી ગાઈડ આવે છે. બાપુજીએ એવી ગાઈડ પણ વેપારાર્થે વસાવેલી. અનેક સ્ટેશનોનાં મિતાક્ષરી નામ પણ એમને આવડે. BCT એટલે બોમ્બે સેન્ટ્રલ અને AMD એટલે અમદાવાદ. કોઈપણ તાર કયા ગામેથી આવ્યો છે એ એમાં આપેલા મિતાક્ષરી નામ પરથી તેઓ તરત કહી આપતા. એમના વખતમાં ટપાલ ખાતાના તાર રેલ્વે સ્ટેશન દ્વારા થતા. ડોટ અને ડેશનીકડ-કટ્ટની સાંકેતિક તારભાષા પોતે શીખેલા અને તાર કરનારની પાસે પોતે ઊભા હોય તો ડોટ ડેશના અવાજ પરથી તેઓ સમજી શકતા કે તારમાં શું લખાય છે. બાપુજીને પોતે કરેલા એ દરેક સ્થળની વિગતો યાદ હોય. કેટલાક વખત પહેલાં દિલ્હી પાસે આકાશમાં બે વિમાનો અથડાઈ પડ્યાં હતાં અને તે ચક્કી દાદરી નામના ગામ પાસે પડ્યાં હતાં. ચક્કી દાદરીનું નામ સામાન્ય લોકો માટે તદ્દન અપરિચિત હતું. પરંતુ બાપુજી માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy