SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩૫ હતા. (1) The Jain Mathematics. (2) Outlines of Paleography. (3) The Jain System of Education. (4) The Doctrine of Ahimsa in the Jain Canon. (5) Reconstruction of Ardhamagadhi Grammar. (6) A History of the Canonical Literature of the Jainas. મુંબઈ યુનિવર્સિટીએ હીરાલાલભાઇને વખતોવખત સંશોધનદાન આપ્યું હતું. એ દર્શાવે છે કે યુનિવર્સિટીની એ વિષયની સમિતિને એમના સંધોધનકાર્યથી પૂરો સંતોષ થયો હતો. એમનું સંશોધનકાર્ય અભ્યાસનિષ્ઠ, પ્રમાણભૂત, તટસ્થ અને નાની નાની જાણવા જેવી ઘણી બધી વિગતોથી સભર હતું. હીરાલાલભાઇએ આ રીતે ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી એમ.ટી.બી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમની સજ્જતા એવી હતી કે યુનિવર્સિટીએ પછીથી એમની પીએચ.ડી.ના ગાઇડ તરીકે નિમણૂંક કરી હતી. તદુપરાંત “પ્રિન્જર સ્કોલરશીપ'ના રેફરી તરીકે એમની નિમણૂક કરી હતી, જે એ દિવસોમાં ઘણું મોટું માન ગણાતું. યુનિવર્સિટી પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાના વિષયમાં પણ એમ.એ.ની કક્ષાએ પરીક્ષક તરીકે એમની નિમણૂંક કરતી હતી. શિક્ષણ ક્ષેત્રે તેઓ કેવું ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તે આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે. હીરાલાલભાઈ ધર્મશ્રદ્ધાવાળા હતા. તેઓ એક મહારાજશ્રીએ બતાવ્યા પ્રમાણે સવારસાંજ ધૂપદીપ સાથે પોણો કલાક અનુષ્ઠાનપૂર્વક મંત્રજાપ કરતા. તેઓ જૈન ધર્મ વિશે સારી જાણકારી ધરાવતા હતા એટલે ઘણા બધા આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજોના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સૂરતમાં નાણાવટમાં, મુંબઈમાં અને ફરી સૂરતમાં ગોપીપુરામાં સાંકડી શેરીમાં અને પછી કાયસ્થ મહોલ્લામાં રહ્યા હતા. એટલે ત્યાં ત્યાં ચાતુર્માસ અર્થે પધારેલા આચાર્ય ભગવંતો વગેરેને મળવાનું થતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy