SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩૩ તરીકે નિમણૂક અપાવી. હીરાલાલભાઈએ બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો નહોતો અને યુનિવર્સિટીના નિયમ મુજબ તો જેમણો બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો હોય તે જ કૉલેજમાં એ વિષય ભણાવી શકે. પરંતુ હીરાલાલભાઈએ પ્રાકૃત ભાષાના વિષયમાં જે સંશોધન લેખો લખ્યા હતા અને પૂનામાં એ વિષયમાં જે સંગીન કાર્ય કર્યું હતું તે જોતાં, એમની સજજતા અને યોગ્યતાની પ્રતીતિ થતાં મુંબઈ યુનિવર્સિટીએ એ વિષયમાં એમની પ્રાધ્યાપક તરીકે નિમણૂંક કરવાની અપવાદરૂપે છૂટ એમ.ટી.બી. કૉલેજને આપી હતી. આ ઘટના પણ એ વાતની ખાતરી કરાવે છે કે તેઓ જે વિષયનો અભ્યાસ કરતા તેમાં ઘણાં ઊંડા ઊતરતા અને તેમાં લેખન-અધ્યયન કરવાની તથા અધ્યાપન કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરતા. હીરાલાલભાઈએ પહેલાં મુંબઈમાં ગણિતના વિષયના અને પછીનાં વર્ષોમાં સૂરતમાં એમ.ટી.બી. કૉલેજમાં પ્રાકૃત-અર્ધમાગધીના વિષયના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ પ્રાકૃત ભાષાનો વિષય લેનારા વિદ્યાર્થીઓ પણ હંમેશાં ઘણાં જ ઓછાં રહ્યા છે. આથી ઈતર વિષયોના પ્રાધ્યાપકોને જેટલું કામ રહે તેટલું ગણિત કે પ્રાકૃતના પ્રાધ્યાપકોને ન રહે. એટલે હીરાલાલભાઈને પહેલેથી જ લેખન-વાંચન માટે ઘણો અવકાશ રહ્યો અને એમની રુચિ પણ એ પ્રમાણે ઘડાતી રહી હતી. તેઓ ગ્રંથો વસાવતા કે જેથી જ્યારે જે ગ્રંથ જોવો હોય તે તરત ઘરમાં હાજર હોય. એમનો ગ્રંથસંગ્રહ વિશાળ હતો. તેઓ સવારે સાડાનવથી દસ વાગ્યા સુધીમાં જમી લેતા અને પછી વાંચવા-લખવા બેસી જતા. એક સાથે ઘણાં પુસ્તકોના સંદર્ભ જોવાના હોય એટલે તેઓ પલંગમાં ઈસ્કોતરો રાખી તેના પર લખતા અને પોતાની આજુબાજુ જરૂરી પુસ્તકો રહેતાં. લેખના વિષય પ્રમાણો પુસ્તકો બદલાતાં. એમનાં પત્ની અને સંતાનો તેઓ મંગાવે તે પુસ્તક અભરાઈ કે કબાટમાંથી કાઢી લાવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy