SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ લાગે. એમાં પણ એમની ચીવટ અને ચોકસાઈ એટલી બધી કે આપણે એ માટે એમના ઉપર સંપૂર્ણપણો આધાર રાખી શકીએ. મારું એ સદ્ભાગ્ય રહ્યું છે કે એમના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાની મને તક મળી છે અને એમની પાસે મને પિતાતુલ્ય વાત્સલ્ય અનુભવવા મળ્યું છે. હીરાલાલભાઈનું નામ પહેલી વાર મેં સાંભળ્યું હતું ૧૯૪૪માં. એ વર્ષે મેટ્રિકની પરીક્ષા આપીને મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં વિનયન શાખાના પ્રથમ વર્ષમાં હું જોડાયો હતો અને રહેવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય (ગોવાલિયા ટેંક, મુંબઈ)માં દાખલ થયો હતો. વિદ્યાલયમાં મારી બાજુની રૂમમાં બિપિનચંદ્રભાઈ નામના વિદ્યાર્થી હતા. સરખા રસના વિષયોને કારણે એમની સાથે મારે મૈત્રી થઈ હતી. હું પ્રથમ વર્ષમાં હતો અને તેઓ એમ.એ. થયા પછી ત્રસ્વેદ પર પીએચ.ડી.નો અભ્યાસ કરતા હતા. એ વખતે તેઓ મને મકાનની અગાશીમાં રાતને વખતે લઈ જઈને આકાશના તારાનક્ષત્રોની ઓળખ કરાવતા અને દરેકની ખાસિયત સમજાવતા. (એમણે આપેલી નક્ષત્રોની જાણકારી આજે પણ વિસ્મૃત થઈ નથી). કેટલાક તારાનક્ષત્રોનાં દર્શન માટે અમે અડધી રાતે ઊઠીને અગાશીમાં જતાં કે જ્યારે પૂર્વાકાશમાં એનો ઉદય થવાનો હોય. બિપિનચંદ્રભાઈ પાસેથી ત્યારે જાણવા મળેલું કે એમના પિતાશ્રી હીરાલાલ કાપડિયા મોટા લેખક છે અને સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં અર્ધમાગધીના પ્રોફેસર છે. હીરાલાલભાઈને પહેલી વાર મારે મળવાનું થયું ૧૯૫૧માં. ત્યારે હું મારા પારસી મિત્ર મીનુ દેસાઈ સાથે સૂરત ગયો હતો અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય, મોહનલાલ પાર્વતીશંકર દવે, કવયિત્રી જ્યોત્સનાબહેન શુક્લ, પ્રો. જે. ટી. પરીખ, નટવરલાલ વીમાવાળા (માળવી), ડૉ. રતન માર્શલ, ગની દહીંવાળા વગેરેને મળવા સાથે હીરાલાલભાઈને પણ મળ્યો હતો. ત્યાર પછી ૧૯૬૦થી ૧૯૭૦ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy