SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૧ ૨ ૧ ને મદ્યપાન કરતી રહી. એટલે બૌદ્ધ ધર્મ ત્યાં એના મૂળ સ્વરૂપમાં રહ્યો નહિ. બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મે લોકોને સમજાવીને, રાજ્યાશ્રય મેળવીને તે દ્વારા, શસ્ત્રના જોરે કે ગરીબોને ખોરાક, કપડાં, દવા વગેરે દ્વારા ફોસલાવીને જે રીતે ધર્મપ્રચાર કરીને પોતાના ધર્મના લોકોની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું હતું અને હજુ પણ કેટલેક અંશે રખાય છે એવી રીતે જૈન ધર્મે પોતાની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું નથી. જૈન ધર્મ વિશ્વના ઘણાં દેશોમાં હાલ જે ફેલાયો છે તે ત્યાંની સ્થાનિક પ્રજાએ ધર્માતર કરવાથી નહિ, પણ જૈનો મોટી સંખ્યામાં વિદેશોમાં ઠેર ઠેર જઈને વસ્યા છે એટલા માટે છે. એટલું સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે ધમતરની પ્રવૃત્તિ દ્વારા કૃત્રિમ રીતે પોતાની સંખ્યા વધારવામાં જૈન ધર્મ માનતો નથી. આથી જ જૈન ધર્મ દુનિયાનો એક પ્રાચીન ધર્મ હોવા છતાં એનું પાલન કરનારાઓની સંખ્યા દુનિયાની વસતિના અડધા ટકા જેટલી પણ નથી. સો-દોઢસો વર્ષ પહેલાં જૈનો ભારત બહાર જવા લાગ્યા હતા. મુખ્યત્વે દરિયાઈ માર્ગે તેઓ જતા. શેઠ મોતીશાહનાં વહાણો આ બાજુ બહરીન અને ઝાંઝીબાર સુધી અને પૂર્વમાં બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા અને ચીન સુધી જતાં. એન્જિનથી ચાલતી સ્ટીમરો આવ્યા પછી એડન, કેન્યા, ટાન્ઝાનિયા, માડાગર્જર સુધી હિંદીઓનો વ્યવહાર વધી ગયો અને તેમાં જૈનો પણ ત્યાં જવા અને વસવાટ કરવા લાગ્યા હતા. જૂના વખતમાં પૂર્વ આફ્રિકા કરતાં બમ, મલાયા તરફ જૈનો વધુ જતા. ત્યાર પછી યુગાન્ડા, કેનિયા, તાન્ઝાનિયામાં ઘણા જૈનો જઇને રહ્યા. આ પ્રદેશોની આબોહવા લગભગ ભારત જેવી. શિયાળામાં ત્યાં અતિશય ઠંડી નહિ અને બરફ પડે નહિ. એટલે રહેણીકરણી પણ ભારત જેવી રહી હતી. કેટલેક સ્થળે જૈનોએ સંઘની સ્થાપના કરી અને મંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનકોની પણ સ્થાપના કરી હતી. પોતાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy