SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૦૯ પુદ્ગલ-પરાવર્તન જેવી અંતિમ કોટિની અદ્દભુત વિચારણા પણ થયેલી છે. જૈન દર્શનમાં ‘સમય’ એક પારિભાષિક શબ્દ છે. જૈન દર્શન પ્રમાણે સમય” એ કાળનું સૂક્ષ્મતમ અવિભાજ્ય અંગ (Smallest Unit) છે. આંખના એક પલકારામાં-નિમિષ માત્રમાં અસંખ્યાતા સમય વીતી જાય છે. આ સમયને સર્વજ્ઞ ભગવાન જ જાણી શકે છે. સમયનો ખ્યાલ આપવા માટે શાસ્ત્રકારો બે દષ્ટાન્ત આપે છે. એક ફૂલની પાંદડીઓનું અને બીજું જીર્ણ વસ્ત્ર ફાડવાનું. ધારો કે કોઈ પોયણીની કે અન્ય કોઈ પુષ્પની સો, બસો કે હજારથી વધુ પાંદડીઓ એક સાથે ઉપરાઉપરી ગોઠવવામાં આવે અને પછી કોઇ બળવાન માણસ સોય કે ભાલા જેવી તીક્ષ્ણ અણી વડે એક જ ઝાટકે તેને આરપાર ભેદી નાખે તો એ અણી કોઈ પણ એક પાંદડીમાંથી નીકળી બીજી પાંદડીમાં પ્રવેશવા જાય તો તે તેમાં કેટલો કાળ લાગે? એટલો કાળ “સમય”નો ખ્યાલ આપી શકે. અથવા કોઈ એક યુવાન માણસ એક જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ફાડી નાખે, તો ક્ષણ માત્રમાં ફાટેલા એ વસ્ત્રમાં રહેલા હજાર-બે હજાર તાંતણામાંથી કોઈપણ એક તાંતણો ફાટ્યા પછી બીજો તાંતણો ફાટે જેમાં જે વખત લાગે તે “સમય”નો ખ્યાલ આપી શકે. વસ્તુતઃ સમય એથી પણ વધુ સૂક્ષ્મ છે. એટલે જ આંખના પલકારામાં અસંખ્યાત “સમય” પસાર થઈ જાય છે. કાળના એક છેડે “સમય” છે તો બીજે છેડે પલ્યોપમ, સાગરોપમ, પગલપરાવર્તન ઈત્યાદિ છે. પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય તે. પલ્ય એટલે ખાડો અથવા કૂવો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે. તેમાં યુગલીઆના અત્યંત કોમલ વાળના અગ્ર ભાગના ટુકડા હોય તો તે વધુમાં વધુ ભરાય. એવી રીતે ઠાંસી ઠાંસીને તે ભરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy