SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ બીજાની વાત કહી દેવી એને ભાષાના-વચનના દોષમાં ગણાવવામાં આવે છે. સાધુઓએ ભાષાસમિતિનો અર્થાત્ વાણી પરના સંયમનો બરાબર ઉપયોગ કરવો જોઇએ. ભાષાસમિતિ વિશે “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે : तत्थिमा तइया भासा, जं विदित्ताऽणुतापति । जं छन्नं तं न वत्तव्वं एसा आणा णियंठिया ॥ (૧-૯-૨૬) [સાધુએ ત્રીજી ભાષા ન બોલવી જોઈએ, જે બોલ્યા પછી અનુતાપ (પશ્ચાત્તાપ) થાય તેવી ભાષા ન બોલવી જોઇએ તથા જે વાત ગુપ્ત રાખવાની હોય તે ન કહી દેવી જોઇએ. આ નિગ્રંથની - (ભગવાન મહાવીરની) આજ્ઞા છે. ] અહીં “ત્રીજી ભાષા” ન બોલવાનું કહ્યું છે એનો શો અર્થ થાય? એક અપેક્ષાએ ભાષાના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવે છે : (૧) સત્ય, (૨) અસત્ય, (૩) મિશ્ર અને (૪) વ્યવહાર. આમાં અસત્ય ન બોલવું એ તો સ્પષ્ટ જ છે. સત્ય જ બોલવાનું હોય. પણ ક્યારેક અસત્ય મિશ્રિત સત્ય અથવા સત્ય મિશ્રિત અસત્ય બોલવા માટે માણસનું મન લલચાઈ જાય છે. ક્યારેક “નરો વા કુંજરો વા' જેવી વાણી ઉચ્ચરાઈ જાય છે. એવી વાણીને ત્રીજી ભાષા તરીકે અહીં ઓળખાવવામાં આવી છે. સાધુઓએ એવી સંદિગ્ધ વાણી ન બોલવી જોઈએ. વળી ભાષાની બાબતમાં “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy