SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ जं छन्नं तं न वत्तव्वं । - ભગવાન મહાવીર (જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું) ભગવાન મહાવીરે સાધુઓને શિખામણ આપતાં કેટલીક વ્યવહારુ ભલામણો કરી છે, જે તેઓને આધ્યાત્મિક સાધનામાં પણ ઉપયોગી થાય એવી છે. કોઇની ગુપ્ત માહિતી પ્રગટ ન કરી દેવા વિશે ભગવાને મુનિઓને માટે કહેલી વાણીના સંયમની આ વાત ગૃહસ્થોએ પણ એટલી જ લક્ષમાં રાખવા જેવી છે. વ્યવહારુ જીવનમાં મનુષ્યને અનેક પ્રસંગે કેટલીયે વાતો બીજા આગળ જતી અટકાવવી પડે છે. સમાજમાં રહેતા માણસને ટીકાનિંદા કે અપકીર્તિનો ભય રહે છે. એનાથી બચવા માણસ પોતાની અંગત વાત છાની રાખવા પ્રયત્ન કરે છે. અંગત વાત દરેક વખતે દુરાચારની મોટી ઘટનાની નથી હોતી. કેટલીક વાર તો ખાવાપીવાની, સૂવાઊઠવાની કે હરવાફરવાની કોઈક વિચિત્ર ટેવ જેવી નાની બાબત પણ હોઈ શકે છે. પણ માણસને બીજા આગળ પોતાની છાપ બગાડવી ગમતી નથી. એથી જ તે પોતાની કે પોતાનાં સ્વજનોની કે કુટુંબની કેટલીક વાત ખાનગી રાખવા ઈચ્છે છે. બીજી બાજુ પ્રત્યેક સમાજમાં વિઘ્નસંતોષીઓનો તોટો નથી હોતો. તેઓ ગુપ્ત માહિતી મેળવીને બીજાનાં સારાં કાર્યોને ધૂળમાં મેળવી દે છે. એમ ન થાય એ માટે પણ વાતને અપ્રગટ રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. કુટુંબમાં માલ-મિલકતની વહેંચણીની વાત કે સગાઈ- સંબંધીની કે ધંધાની લેવડદેવડની વાત પણ વહેલી બહાર પડી જવાથી બંને પક્ષને ઉશ્કેરનારા ઈર્ષાળુ માણસો પ્રવૃત્ત થઈ જાય છે. મનુષ્ય જ્યારથી વસ્ત્ર પહેરતો થયો ત્યારથી કે એની પણ પહેલાંથી એને કશુંક છુપાવતાં આવડવા લાગ્યું છે. મનુષ્યમાં રહેલી આ વૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy