SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ રહે છે. આજની નવી ચીજવસ્તુ કાલે જૂની થાય છે અને વખત જતાં નષ્ટ થાય છે. જગતમાં અનેક લોકો પોતાના જીવનને સફળ બનાવી લે છે, તો અનેક લોકોનું જીવન બરબાદ થઇ જાય છે. આમ થવાનાં ઘણાં કારણોમાંનું એક મોટું કારણ તે કાળ છે. જેમણે પોતાના જીવનને સફળ બનાવવું હોય તેમણે યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું જોઇએ. काले कालं समायरे । ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં પ્રથમ અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છે : कालेण णिक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता काले कालं समायरे ॥ [ ભિક્ષુએ વેળાસર નીકળવું (ભિક્ષા માટે) અને વેળાસર પાછું આવી જવું. કવેળાએ કાર્ય કરવું નહિ. યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું. ] જેમ સાધુઓએ તેમ ગૃહસ્થોએ પણ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું જોઇએ. કાળરૂપી આખલાને શિંગડેથી પકડીને વશ રાખવો જોઇએ. જેઓ અવસર ચૂકે છે તેમને નિરાશ થવાને વખત આવે છે. રાંડ્યા પછી ડહાપણ આવે છે. સમયનો ત્વરિત સદુપયોગ કરી લેવા માટે ઠેઠ પ્રાચીનકાળથી બોધવચનો પ્રચલિત છે, કારણ કે સમયનો અનુભવ સર્વકાલીન છે. માર્યાણમતિપાતયેત્ । (કાર્યકાળને વેડફી ન નાખો) 1 ામતિવર્તો મહાન્તઃ સ્વેપુ ર્મવું । (મહાન માણસો પોતાના કાર્યમાં કાળનું અતિક્રમણ નથી કરતા અર્થાત્ વિલંબ નથી કરતા.) પ્રકૃતિના નિયમો છે. એ નિયમોની સતત અવગણના કરનારની પછી પ્રકૃતિ અવગણના કરે છે. અકાળે ખાવું, અકાળે જાગવું, અકાળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy